SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૩૭ તે દરેકની કારીગરી અતિશય સુંદર છે. તે મંદિર આઠમા સૈકાનું અનુમનાય છે. આરંભિક ઐતિહાસિક ઘટનાઓ આર્ય મહાગિરિ સુહસ્તિસૂરિ 9મી-10મી પાટ મહારાજા સંપ્રતિ જંબુસ્વામીના પછી જિનકલ્પ' (શ્રી મહાવીર જિનનો-ના જેવો કડક આચાર) વિચ્છિન્ન થયો એવું જૈન કથન છે. (વીરાત્ ૬૪). સમ્રાટ અશોકના પુત્ર કુણાલના પુત્ર રાજા ૮ર સંપ્રતિના સમયમાં આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ થયા તે પૈકી આર્યમહાગિરિએ જિનકલ્પ સ્વીકાર્યો ને પોતે સંઘથી દૂર રહ્યા, ત્યારે (સએલ અને અચેલવાદનું બીજ) રોપાયું. આર્ય સુહસ્તિએ ‘સ્થવિરકલ્પ'માં રહી સંપ્રતિને પ્રતિબોધ્યો. સંપ્રતિએ સવાલાખ નવાં જિનાલયો, તેરહજાર જીર્ણ મંદિરનો ઉદ્ધાર, સાતસો દાનશાળાઓ કરાવી તથા અનાર્ય દેશમાં પણ ધર્મોપદેશકો મોકલી ધર્મોન્નતિ કરી. સુહસ્તિ વીરાત્ ર૯૧ (વિ.સં.પૂર્વે ૧૭૯) માં સ્વર્ગસ્થ થયા. આ સંપ્રતિ ઉજ્જયિનીમાં રાજ્ય કરતાં હતા અને તે ઉજજયિની જૈનોનું કેન્દ્રસ્થાન થયું. ૮૩ 81. gaul Senart 41 Inscription de Piyadasi. qul Epigraphica Indica Vol.II પૃ. 272. ટિપ્પણ. હમણાં હમણાં અશોકના ધર્મશાસનો-લેખોની સયાજી ગ્રંથમાળામાં બહાર પડેલ ચોપડી. - ૮૨. કુણાલ- કુનાલ સ્થાને પુરાણોમાં સુયશા નામ મળે છે. તે તેનું બિરૂદ હોવું જોઈએ. તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું એમ પુરાણોમાં લખ્યું છે. તેના પછી તેનો પુત્ર દશરથે થયો. દશરથનો શિલાલેખ નાગાર્જની ગુફા (ગયા પાસેની) માં કોતરેલ છે. તે પરથી જણાય છે કે તે ગુફાઓ આજીવકોને આપી હતી. બૌદ્ધોના દિવ્યાવદાન નામના પુસ્તકમાં તથા જૈનોના પરિશિષ્ટ પર્વ, વિચાર શ્રેણી તથા તીર્થકલ્પ પરથી જણાય છે કે કુનાલનો પુત્ર સંપ્રતિ હતો (પુરાણોનાં હસ્તલિખિત પુસ્તકોમાં બહુધા સંપ્રતિનું નામ મળતું નથી તો પણ વાયુપુરાણની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy