SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી તરીકે સિદ્ધ કરે છે. (૧) આની કર્ણાટકી લિપિનો ઉકેલ શ્રી પૂરણચંદ્રજી નાહરે મહામહોપાધ્યાય રાય બહાદુર પંડિત ગૌરીશંકરજી ઓઝા અને ડાળ હીરાનન્દ શાસ્ત્રી જેવાં બે મહાવિદ્વાનો પાસે વંચાવી કરાવ્યો છે તે અનુક્રમે આ રીતે છેઃश्री जीनवलभन सज्जन भजीयवय मडिसिद प्रतीम; श्रीजिनवल्लभन सज्जन ચેટિય મય મડિસિન પ્રતિને ‘મડિસિદ’ નો અર્થ-‘ની વિનતિથી’–ના કહેવાથી એમ થાય છે. શ્રી જિનવલ્લભની સજ્જન ભગીયબય-ચેટિયભયના કહેવાથી પ્રતિમા–એવો કંઈ અર્થ છે ને તેમાં જિનનું સ્પષ્ટ નામ છે. (૨) આખી બેઠકની નીચે નવગ્રહની નવ નાની આકૃતિઓ છે, કે જે કોઈ પણ બુદ્ધમૂર્તિમાંથી મળી આવતી નથી (૩) શિર ઉપર ત્રણ છત્ર છે અને શાસન દેવ અને દેવી છે. આ સર્વ પરથી જિનમૂર્તિ સિદ્ધ થાય છે. આ પીતળની મૂર્તિની કર્ણાટકી લિપિ આઠમી સદીની આસપાસની જૂની છે એમ ઓઝાનું કહેવું છે. આ મૂર્તિ શ્રી પૂરણચંદ નાહરને ઉદયપુર પાસેના ગામ સવીનાખેડામાંથી પ્રાપ્ત થઈ છે ને તે તેમની પોતાની પાસે કલકત્તામાં હજુ સુધી છે. વળી નાહરજી જણાવે છે કે ‘વીર’ના મહાવીર જયંતી અંક વર્ષ ૪ અંક ૧૨-૧૩ માં પૃ. ૩૦૦ પર એક ચિત્ર-ફોટો મૂકેલ છે કે જેમાં પારિસના પ્રદર્શનમાંથી એક ધાતુની મૂર્તિનો એક બ્લૉક છે કે જે આ મૂર્તિના જેવો છે. વળી આવી જાતની એક બીજી જિનમૂર્તિ પણ નાહરજીને ઉપલબ્ધ થઈ છે. તેમાં ૧૦-૧૧ સદીનો કર્ણાટકી શિલાલેખ છે, કે જેને ત્રિમાસિક ‘‘રૂપ’’ માં (નં. ૧૭ જાન્યુ. ૧૯૨૪ પૃ. ૪૮ ઉપર) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ૩૬ અજંટા પાસે જૈનમંદિરનો ધાર મંડપ (આઠમો સૈકો) -અજંટાની ગુફા એ ભારતનું એક જોવા લાયક પ્રસિદ્ધ સ્થળ છે. તેમાં મુખ્ય બૌદ્ધ મંદિરો અને તેમાંનાં રંગીન ચિત્રો બહુ પ્રાચીન હોવા છતાં તેની સુંદરતા ને રંગો જળવાઈ રહ્યાં છે. આ ગુફામાં જૈન મંદિરો પણ હતાં કે જે હાલ શીર્ણ વિશીર્ણ દશામાં છે તે પૈકી એકનો ફોટો સને ૧૮૬૬ માં પ્રકટ થયેલ Architecture at Ahmedabad માં પ્રસિદ્ધ થયો હતો તે અત્રે મૂકેલ છે. તેનું શિખર નાશ પામ્યું છે પણ તે ઘણું મોટું અને પિરામિડ આકારનું હોવું જોઈએ. કારણ કે તેનો મંડપ અતિ વિશાલ છે. તેના મંડપના થાંભલાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy