SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૩૫ ૬. સં. ૯૫ માં જૈન યતિ કહની મૂર્તિ-મથુરા (241EUR : The Jain Stupa and other Antiquities of Mathura) -આ એક જૈન સ્તૂપનો ભાગ છે કે જે ઉક્ત મથુરાની કંકાલી તીલા ટેકરીમાંથી નીકળેલ છે. તે સ્તૂપના બે ભાગ પાડેલા છે. ઉપલો ભાગ સાંકડો છે અને તેના મધ્યમાં સ્તૂપની આકૃતિ છે અને સ્તૂપની બંને બાજુએ જિનની બબ્બે આકૃતિઓ છે. કુલ તે ચાર આકૃતિઓ (મૂર્તિઓ) છેલ્લા ચાર તીર્થંકર નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાનની છે. નીચેના ભાગમાં કણહ (3) ની મૂર્તિ છે કે જેના માનમાં આ સ્તૂપ બનાવવામાં આવ્યો હતો. કણહની મૂર્તિને વસ્ત્ર પહેરાવેલાં હોવાથી તે શ્વેતાંબર મૂર્તિ માની શકાય. આમાં આવેલ મૂળ લેખ કોઈ અનિર્ણત લિપિમાં છે. આરંભમાં ૫ (?) ની સાલ હોવાનું જણાય છે કે જે વખતે વાસુદેવનું રાજ્ય હતું. તે લેખ આ પ્રમાણે છે:૨ (શિ)મ્ સં ૨૧(?) પ્રો ર ઢિ ૧૮ ક્રોદય (I) તો ગાતો થાનીયાતો નાતો વિફર(ા તો) (સા) વાતો સાથે ચર૬ (૬) २ सिसिनि धामथाये (?) ग्रहदतस्य धि...धनहथि -સિદ્ધ સંવત૫ (?) માં બીજા (માસ) માં ૧૮ દિવસે કોટ્ટય (કોટિક) ગણના થાનીય કુલના વૈરશાખાના આર્ય મહા(દિન)ની શિષ્યણી ધામથ (?)ની વિનતિથી ગૃહદત્તની પુત્રી અને ધનથી (ધનહરિત) ની સ્ત્રીની (ભેટ) આમાં કહની વસ્ત્ર પરિધાનવાળી મૂર્તિ ઉપરાંત ચાર તીર્થંકરની પ્રતિમાઓ કોતરેલી છે. ધાતુની અર્ધ પદ્માસનસ્થ જિનમૂર્તિ-જૂની કર્ણાટકી લિપિલેખ સહિત (આઠમી સદી) -જિનમૂર્તિ સામાન્ય રીતે વિશાલ પ્રમાણમાં પદ્માસનસ્થ જોવામાં આવે છે અને જે કેટલીક ઊભી-કાર્યોત્સર્ગસ્થ હોય છે તેને “કાઉસગ્ગીઆ' કહેવામાં આવે છે. અદ્ધપદ્માસનસ્થ જિનમૂર્તિ વિરલ જોવાય છે, જ્યારે તેવી બુદ્ધની મૂર્તિઓ ઘણી દેખાય છે. રખેને આ બુદ્ધમૂર્તિ હોય એવો કોઈને ભ્રમ થાય તો તે દૂર કરવા માટે આમાં અનેક યોગો એવા છે કે જે આ મૂર્તિને જિનમૂર્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy