SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી પ્રાચીન સંવાળી પ્રતિમાં અતિ વિરલ-કોકજ દેખવામાં આવી છે. પ્રાચીન શિલાલેખોમાં મથુરા અને કલિંગના લેખો એક બાજુએ મૂકતાં હસ્તિફંડનો સં. ૯૯૬ નો ને સં. ૧૦૫૩નો (જિ. ૨ નં. ૩૧૮ તથા ના. ૧, નં. ૮૮) સાંપડે છે અને સં. ૧૦૮૮ માં વિમલવસહિનું સ્થાપત્ય આવે છે. ત્યારપછી ૧૦૯૧, ને ૧૧૦૦ (જિ. ૨, નં. ૪૨૭ ને ૫૪૪)ના સાંપડે છે; એટલે ૧૦મા અને ૧૧મા સૈકાના કોક લેખ મળે છે ને તે પહેલાંના શ્વે. લેખો મથુરા ને કલિંગ સિવાય બીજે ક્યાંય પ્રાયઃ બિલકુલ મળતા નથી. ૫. ઈ.સ. પ્રારંભનો અર્હપૂજા માટેનો આયાગપટ મથુરા -મથુરાના નૈઋત્ય ખૂણા પાસે આગ્રા અને ગોવર્ધનના રસ્તાની વચ્ચે આવેલી કંકાલી–ટીલા નામની ટેકરી છે તે ખોદાવતાં સને ૧૮૭૦ માં મળેલ ઘણા શિલાલેખો અને બીજી વસ્તુઓમાં ખંડિત અને અખંડિત જૈન પ્રતિમાઓ, થાંભલાઓનું વર્ણન કનિંગહામે કરેલું છે. આ માટે જુઓ વિન્સેન્ટ સ્મિથનું પુસ્તક નામ ‘જૈન સ્તુપ ઍન્ડ અધર એન્ટિક્વિટિઝ ઑફ મથુરા' અને ‘આર્કિઓલૉજિકલ સર્વે ઓફ ઈંડિઆ સને ૧૮૭૦’ તે પૈકી આ આયાગપટ પણ છે. તે શિલા છે ને સિંહનાદિકે સ્થાપેલ છે. તેની વચ્ચે જૈન તીર્થંકરની પ્રતિમા કોતરેલી છે અને આસપાસ જૂદી જૂદી જાતની પવિત્ર નિશાનીઓ છે. અષ્ટમંગલમાં દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મત્સ્ય યુગલ, સ્વસ્તિક, કુંભ અને નંદ્યાવર્ત ગણાતા પૈકી કેટલાક જોવામાં આવે છે, તે પટ પર ઘણી પ્રાચીન લિપિમાં લખાયેલો લેખ છે કે જે પ્રાયઃ કનિષ્કના રાજ્યના સમયમાં ઈ.સ. પ્રારંભ લગભગ લખાયેલો હોવો જોઈએ. તે આ પ્રમાણે છેઃ ૩૪ આર્ય સુહસ્તિ સૂરિ १ नमो अरहंताणं सिंहकस वणिकस पुत्रेण कोशिकिपुत्रेण २ सिंहनादिकेन आयागपटो प्रतिथापितो अरहंतपूजये -અર્હતોનો નમસ્કાર, સિંહક વણિકના પુત્ર અને કૌશિકીના પુત્ર સિંહનાદિક (સિંહનાંદિક)થી આયાગપટ અહંની પૂજા અર્થે પ્રતિસ્થાપિતપ્રતિષ્ઠાપિત થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy