SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૩૮ એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું નામ સંપ્રતિ આપ્યું છે. અને મત્સ્યપુરાણમાં ‘સંમતિ’ પાઠ મળે છે કે જે સંપ્રતિનું જ અશુદ્ધ રૂપ છે.-પાર્જિટર The Puran Text of the Dyansties of the Kali Age p. 28 or footnote 9) આ પરથી અનુમાન થાય કે મૌર્યદેશ કુનાલના બે પુત્રો (દશરથ અને સંપ્રતિ)માં વહેંચણ થતાં પૂર્વનો વિભાગ દશરથને અને પશ્ચિમનો વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલો હોય. સંપ્રતિની રાજધાની ક્યાંક પાટલીપુત્ર અને ક્યાંક ઉજ્જૈન લખેલ મળે છે.... પરંતુ એટલું માની શકાય તેમ છે કે (રાજપૂતાના માલવા, ગુજરાત તથા કાઠિયાવાડ)–એ દેશોપર સંપ્રતિનું રાજ્ય રહ્યું હશે અને કેટલાયે જૈનમંદિર તેણે પોતાના સમયમાં બંધાવ્યા હશે. તીર્થકલ્પમાં એ પણ લખ્યું છે કે પરમાર્હત સંપ્રતિએ અનાર્ય દેશોમાં પણ વિહાર (મંદિર) બંધાવ્યા હતા’–ઓઝાજી રા.ઈ. પ્રથમ ભાગ પૃ. ૯૪. ૮૩. ‘અજમેર જિલાના બર્લી નામનાં ગામમાં વીર સંવત્ ૮૪ (વિ. સં. પૂર્વ ૩૮૬= ઈ.સ. પૂર્વે ૪૪૩) નો એક શિલાલેખ મળ્યો છે (કે જે અજમેરનાં ‘મ્યુઝિયમ’ સુરક્ષિત છે.) તે પરથી અનુમાન થાય છે કે અશોકથી પહેલાં પણ રાજપૂતાનામાં જૈનધર્મનો પ્રસાર હતો. જૈન લેખકોનો એ મત છે કે રાજા સંપ્રતિ કે જે અશોકનો વંશજ હતો, તેણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી અને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પણ તેણે કેટલાક જિન મંદિરો બંધાવ્યા હતા. વિ.સં. બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાળા જૈન . સ્તૂપ પરથી તથા અહીંના કેટલાક અન્યસ્થાનોએ મળેલા પ્રાચીન શિલાલેખો તથા મૂર્ત્તિઓથી માલુમ પડે છે કે તે સમયે પણ અહીં (રાજપૂતાનામાં) જૈન ધર્મનો સારો પ્રચાર હતો. (આ વખતે રાજપૂતાના માલવામાં અંતર્ગત હતું.) બૌદ્ધ અને જૈનધર્મોના પ્રચારથી વૈદિકધર્મને ઘણી હાની પહોંચી, એટલું જ નહિં, કિંતુ તેમા પરિવર્તન કરવું પડયું અને તે નવા સંચામાં ઢળીને પૌરાણિક ધર્મ બની ગયો. તેમાં બૌદ્ધ અને જૈનો સાથે મળતી ધર્મસંબંધિ ઘણી નવી વાતોએ પ્રવેશ કરી દીધો એટલું જ નહિ પરંતુ બુદ્ધદેવની ગણના વિષ્ણુના અવતારોમાં થઈ અને માંસ-ભક્ષણનો પણ થોડો ઘણો નિષેધ કરવામાં આવ્યો’.-ઓઝાજી રાજપૂતાનેકા ઈતિહાસ પ્રથમ ખંડ પૃ, ૧૦-૧૧. બૌદ્ધ દિવ્યાવદાનમાં સમ્મદિનું વર્ણન છે. ૮૪- આ પર થી જણાય કે-‘ઈ.સ. પૂર્વે ૪૫૮ વર્ષે અને વિ.સં. પૂર્વે ૪૦૦માં ઉડીસામાં જૈન ધર્મનો એટલો પ્રચાર હતો કે ભગવાન્ મહાવીર નિર્વાણ પછી ૭૫ વર્ષમાં જ ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ. જૈન સૂત્રોમાં લખેલું છે કે ભગવાન્ શ્રી મહાવીર પોતે ઉડીસામાં ગયા હતા, અને ત્યાં તેઓના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ લેખમાં લખેલું છે કે કુમારી પર્વતપર અર્થાત ખંડગિરિ ઉપર, જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજય ચક્ર પ્રવર્યું હતું અર્થાત્ ભગવાન્ મહાવીરે પોતે જ જૈન ધર્મનો ઉપદેશ કર્યો હતો, અથવા તેઓના પૂર્વવર્તી કોઈ જિન તીર્થંકરે ઉપદેશ કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy