SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ છે, પણ ગૌરીપટ્ટની લંબાઈ સાથે તેનો મેળ ખાતો નથી. શિવલિંગ અને ગૌરીપટ્ટના પથ્થરો પણ જુદી જુદી જાતના છે. આથી રાજેન્દ્રલાલ મિત્ર જણાવે છે કે, પ્રથમ અહીં અશોકનો સ્તૂપ હતો, તેને હઠાવી પ્રસ્તુત લિંગ સ્થપાયેલ છે અને તેની ઉપર મંદિર ઊભું કરવામાં આવેલું છે. રામેશ્વરના મંદિર પાસે અશોક કુંડ ઉપર સ્તંભનો ઉપલો ભાગ છે. અમને એક કૂવો ખોદતાં એક બુદ્ધદેવની અને બીજી જૈન તીર્થંકરની મૂર્તિ મળી હતી. ભાસ્કરેશ્વરનું લિંગ પ્રાચીન કાળે અશોકનો સ્તૂપ હશે એમ નક્કી મનાય છે. ત્યાંથી મળેલ મૂર્તિઓનું શિલ્પ બરાબર ઉદયગિરિની રાણીગુફાને મળતું આવે છે. મંદિરની ઉત્તરમાં ગિરિગુફાઓ છે. ત્યાં બે જૈનમૂર્તિઓ જોવામાં આવી. અહીં ઘણી પ્રાચીન વસ્તુઓ ભૂગર્ભમાં ધૂળમાં દટાયેલ છે. વિશેષ પ્રયત્ન કરવામાં આવે તો અહીંથી ઘણાં સત્યો પ્રકટ થશે. ભુવનેશ્વરનું સ્થાપત્ય નવમીથી બીજી સદીના મધ્યનું છે. પરંતુ આવું શિલ્પ ક્યા ગ્રંથમાં બતાવ્યું છે તે શોધવાની જરૂર છે. મહાનંદના બન્ને કાંઠે સૌનપુર, બૌદ, નરસિંહપુર વગેરે રાજ્યોના પ્રાચીન મંદિરોની રચના ભુવનેશ્વરને મળતી આવે છે. (‘પ્રવાસી’ બં. સં. ૧૩૪૧ વૈશાખનો અંક પૃ. ૩૫ થી ૪૦; ‘જૈન સત્ય પ્રકાશ’ ક્રમાંક ૧૪૩) સ્થવિરાવલી આ લેખ ઉપરથી સમજી શકયા છે કે, ભુવનેશ્વરનું તીર્થ એ અસલી શૈવતીર્થ નથી. આપણે જાણીએ છીએ કે સમ્રાટ ખારવેલે અહીં જૈન મંદિરો વગેરે બનાવ્યાં હતાં. શંકરાચાર્યના અનુયાયીઓએ ધર્મ આક્રમણ કર્યું ત્યારે જગન્નાથપુરી વગેરે જૈનતીર્થો જ શૈવતીર્થો બન્યા છે, તેવું જ અહીં પણ બન્યું છે. એટલે કે ભાસ્કરેશ્વર એ પ્રાચીન જૈનમંદિર છે. જો કે લેખક અહીં બૌદ્ધ વસ્તુ હોવાનું જણાવે છે તે માત્ર જૈન સ્થાપત્ય અને જૈન ઈતિહાસનું જ્ઞાન ન હોવાના કારણે હોય એમ લાગે છે. આ સ્થાનમાં બૌદ્ધો કરતાં જૈનોને વધારે લાગેવળગે છે; એ વાત તો ત્યાંની હાથીગુફાના લેખો જ પુરવાર કરી આપે છે. આથી સ્પષ્ટ છે કે, ભુવનેશ્વર, ઉદયગિરિ વગેરે જૈનધર્મના પ્રાચીન કેન્દ્રો છે. એક વિદ્વાન લખે છે કે, ઓરિસાના ભુવનેશ્વરની પૂર્વે ૨ માઈલ દૂર પુરાતત્ત્વ ખાતાએ બી. બી. લાલની દેખરેખ નીચે ખોદકામ કર્યું છે, તેમાં લગભગ એકે માઈલ લાંબો, એક માઈલ પહોળો, ૮ દરવાજાવાળો સમચોરસ શિશુપાલગઢ નીકળ્યો છે; જેનો પાયો આશરે ૧૦૦ ફૂટ પહોળો છે, ચારે બાજુ ખાઈ છે તેમાં આજે પણ પાણી ભરેલું છે. સમ્રાટ ખારવેલે કલિંગ નગરનો ગઢ સમરાવ્યો હતો તેમ શિલાલેખમાં સૂચન છે તો તે કલિંગનગર તે આ શિશુપાલગઢ જ હોવો જોઈએ. એટલે આ ભારતવર્ષનો ૨૧૦૦ વર્ષ જૂનો કિલ્લો છે. (‘પ્રજાબંધુ’, તા. ૧૫-૮-૧૯૪૮; ‘જૈન સત્ય પ્રકાશ', ક્રમાંક ૧૭૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy