SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી હતા અને ત્યાં તેમના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ ખંડગિરિના લેખમાં લખ્યું છે કે કુમારી પર્વત અર્થાત્ ખંડગિરિ ઉપર જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજયચક્ર પ્રવસ્યું હતું અર્થાત્ ભગવાન મહાવીરે પોતે જ અહીં જૈનધર્મનો ઉપદેશ કર્યો હતો અથવા તેઓના પૂર્વવર્તી કોઈ જિન-તીર્થંકરે ઉપદેશ કર્યો હતો. ત્યાં પર્વત ઉપર એક કાયનિષદી અર્થાત્ જૈનસ્તૂપ હતો, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલની યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ અને મંદિરો આ પર્વત ઉપર છે, કે જેના ઉપર તીર્થંકર શ્રી પાર્શ્વનાથના ચિહ્નો તેમજ પાદુકાઓ છે, જે કોરી કાઢેલાં છે, અને બ્રાહ્મી લિપિના લેખવાળાં છે. તેમાં ‘જૈન સાધુઓ રહેતા હતા’ એ વાતનો ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે આ સ્થાન એક જૈનતીર્થ છે તેમજ ઘણું જૂનું છે. (‘જૈન સાહિત્ય સંશોધક' ખંડ ત્રીજો, અંક ચોથો, પૃ. ૯૬) આથી સ્પષ્ટ છે કે કલિંગદેશ જૈનધર્મની પ્રાચીન કેન્દ્રભૂમિ છે.* આવી રીતે આ પ્રતાપી અને મહાન શાસનપ્રભાવક જૈનધર્મી મહારાજા ખારવેલ ઈ. સ. પૂર્વે બસોમાં કલિંગ દેશમાં થઈ ગયો છે. આ સમય સુધી કલિંગમાં જૈનધર્મનું પ્રાબલ્ય હતું. નવો આવનાર વેદધર્મી પણ જૈનત્વથી રંગાઈ જતો હતો. માટે જ વેદધર્મના આચાર્યોએ એક નિયમ બનાવી રાખ્યો હતો કે सिन्धु- सौवीर - सौराष्ट्रांस्तथा प्रत्यन्तवासिनः । અડુ-વડુ-તિજ્ઞાશ્ર્વ, પત્ના સંરમર્દતિ || ૨૯ * શ્રીનિર્મળકુમાર બસુ લખે છે કે, ભુવનેશ્વરનું સ્થાપત્ય એક અને અજોડ છે. આપણે અહીંના પ્રાચીન ઈતિહાસ માટે ઘણા અજ્ઞાન છીએ. ભુવનેશ્વરના લિંગરાજ મંદિરથી અગ્નિખૂણે પાંચ માઈલ પર ધવલી પહાડ છે, ત્યાં અશોક શિલાલેખ છે. બીજી દિશામાં પાંચેક માઈલ પર ખિંિગરિ અને ઉદયગિરિ છે, ત્યાં સમ્રાટ ખારવેલના શિલાલેખો છે. આમ હોવા છતાં ખાસ ભુવનેશ્વરમાં કંઈ પુરાતન વસ્તુઓ મળતી નથી; જે સંબંધે શોધખોળની આવશ્યકતા છે. ઐતિહાસિક દષ્ટિએ ભાસ્કરેશ્વરનું મંદિર વધારે કીમતી છે. તેનું સ્થાપત્ય વિચારીએ તો રેખમંદિર કે ભદ્રમંદિરની કક્ષાનું આ મંદિર નથી. વિશેષ રીતી જોઈએ તો નક્કી છે કે, શિવલિંગ મોટું છે, તેને ઢાંકવા માટે શિલ્પમર્યાદાને તોડી પ્રસ્તુત મંદિર ઊભું કરવામાં આવ્યું હોય એમ લાગે છે. શિવલિંગ ૪ ફુટ પહોળું અને ૯ ફુટ ઊંચું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy