SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ થયા. આ રીતે શ્રી સ્કંદિલાચાર્યનો સંબંધ સંપૂર્ણ થયો. એ રીતે શ્રી સ્કંદિલાચાર્યના શિષ્યલેશ શ્રી હિમવંત આચાર્યની રચેલી (ઈતિ સ્થવિરાવલી ભાવાનુવાદ) સ્થવિરાવલિકા સંપૂર્ણ થઈ. સ્થવિરાવલી પરિશિષ્ટ (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ - આવૃત્તિ બીજી માંથી સાભાર) (આ મહામેઘવાહન રાજા ખારવેલનો એક લેખ ઈ.સ.પૂર્વે બીજા સૈકાનો ઓરિસામાં ખંડગિરિ પરની હાથીગુફામાં ચોડેલો વિદ્યમાન છે, જે ભારતીય પુરાતત્ત્વ વિભાગમાં ઐતિહાસિક ઘટનાઓ અને જીવનચરિત્રનું વર્ણન આપનાર સૌથી વધારે પ્રાચીન અને મોટો શિલાલેખ છે. આ લેખ ઉપરથી જાણી શકાય છે કે મહામેઘવાહન રાજા ખારવેલ ‘કલિંગ ચક્રવર્તી’ તરીકે મનાયો છે. આ રાજાએ આંધ્ર, મહારાષ્ટ્ર અને વિદર્ભ દેશને કલિંગની છત્રછાયામાં આણ્યા હતા. આ રાજાનો પ્રતાપ તેના રાજ્યકાળના બીજા વર્ષમાં જ મહી નદીથી કૃષ્ણા સુધી પ્રસર્યો હતો. પછી તો એની વિજયપતાકા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડય દેશ સુધી ફરકતી થઈ હતી. ખારવેલે મગધ ઉપર ચઢાઈ કરી ભ૦ શ્રી ઋષભદેવની પ્રતિમા કે જે ‘કલિંગજિન’ તરીકે વિખ્યાત હતી, તેને પાછી કલિંગમાં લાવી કુમારગિરિ પર મંદિરમાં પધરાવી હતી. કલિંગની રાણીએ જૈન સાધુઓ માટે વિહાર બંધાવ્યા હતા, શ્રમણોને વસ્ત્રો વહોરાવ્યાં હતાં. રાજાએ આગમોનો સંગ્રહ કરાવ્યો હતો વગેરે. (જૈન પ્રાચીન લેખસંગ્રહ, ભા. ૧; જૈન સાહિત્ય સંશોધક, વર્ષ ૩, અં. ૪) શ્રીયુત જાયસ્વાલ મહોદય આ લેખની સમીક્ષા કરતાં ઊમેરે છે કે, “આ પરથી જણાય છે કે, ઈ.સ. પૂર્વે ૪૫૮, વિ. સં. પૂર્વે ૪૦૦ વર્ષે ઉડીસામાં જૈનધર્મનો એટલો પ્રચાર હતો કે ભગવાન મહાવીર નિર્વાણ પછી ૭૫ વર્ષમાં જ ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ હતી.'' જૈનસૂત્રોમાં લખ્યું છે કે, ભગવાન શ્રીમહાવીર પોતે ઉડીસામાં ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy