SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી “સ્થવિર મધુમિત્રના શિષ્ય એવા ત્રણ પૂર્વના જ્ઞાનથી યુક્ત એવા, મુનિના ગણથી સવિશેષ નંદાએલા, જેમના રાગાદિ દોષ ચાલ્યા ગયા છે એવા, બ્રહ્મ દ્વીપિકા શાખાના મુકુટ સમાન એવા વિદ્વાન એવા ગંધહસ્તિજીએ આ વિવરણ વિક્રમની ૨૦૦ની સાલમાં રચ્યું છે. (૧) (૨)’ આર્ય સ્કંદિલ આચાર્યનો સંબંધ આ પ્રમાણે છે: ૨૭ ઉત્તર મથુરા નગરીમાં મેઘરથ નામનો જિનાજ્ઞપ્રતિપાલક શ્રમણોપાસક બ્રાહ્મણ હતો. તેને રૂપસેના નામની સુશીલા ધર્મપત્ની હતી. તે બન્નેને ચંદ્રના સ્વપ્નથી સૂચિત સોમરથ નામનો પુત્ર થયો. હવે એક વાર બ્રહ્મટ્ઠીપિકા શાખાથી ઓળખાતાં તે સિંહ આચાર્ય વિહાર કરતાં ક્રમથી મથુરાના ઉદ્યાનમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને સોમરથને વૈરાગ્ય થયો અને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. આ બાજુ અર્ધ ભરતક્ષેત્રમાં અત્યંત ભયંકર બાર વર્ષનો દુષ્કાળ પડયો. આથી અરિહંતના માર્ગને અનુસરનારા કેટલાક ભિક્ષુઓએ ભિક્ષા ન મળવાના કારણે અણસણ સ્વીકાર્યું અને વૈભારગિરિ-કુમારગિરિ આદિમાં સંલેખનાપૂર્વક સ્વર્ગમાં સિધાવ્યા. પૂર્વે સંકલિત કરાયેલા જિનપ્રવચનના આધાર ભૂત અગ્યાર અંગો નષ્ટ જેવા થઈ ગયા. અને દુષ્કાળ પૂરો થયા પછી વિક્રમના એકસો ત્રેપનમાં વરસે સ્થવિર આર્ય સ્કંદિલાચાર્યે ઉત્તરમથુરાનગરીમાં જૈન સાધુઓનો સંઘ ભેળો કર્યો. એકસો પચીસ સ્થવિરકલ્પ અનુયાયી- મધુમિત્ર-ગંધહસ્તી આદિ સંમિલિત થયા. બધા ને જે કાંઈ પાઠો યાદ રહ્યા હતા તે ભેગા કરીને આર્યસ્કંદિલે ગન્ધહસ્તિઆદિથી માન્ય કરાયેલી એકાદશાંગી ફરીથી ગૂંથવામાં આવી. આર્ય સ્કંદિલ સ્થવિરોત્તમથી પ્રેરણા પામીની આર્ય ગંધહસ્તિજીએ ભદ્રબાહુસ્વામિજીની રચેલી નિર્યુત્તિના અનુસારે અગ્યાર અંગના વિવરણોની રચના કરી. ત્યારથી માંડીને આ બધું જ પ્રવચન ભારતમાં માથુરી વાચના તરીકે પ્રસિદ્ધિને પામ્યું, મથુરાનગરીના નિવાસી ઉશવંસ વિભૂષણ પોલાક નામના શ્રેષ્ઠ શ્રમણોપાસકે ગંધહસ્તિજીના વિવરણ સહિતનું તે બધું જ પ્રવચન તાડપત્રાદિ ઉપર લખાવીને સાધુઓને સ્વાધ્યાય માટે આપ્યું. આ રીતે જિનપ્રવચનની પ્રભાવના કરીને આર્ય સ્કંદિલ સ્થવિર વિક્રમ સંવંત ૨૦૨ની સાલમાં મથુરામાં જ અનશન કરીને સ્વર્ગવાસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy