SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી નક્ષત્ર નામના આચાર્યનો વાચક વંશ ખૂબ વધો ! Iળા કાલિક શ્રુતના પ્રખર અનુયોગવાળા, ધીર, ઉત્તમ વાચનાચાર્યપદ પ્રાપ્ત અચલપુરાના વતની બ્રહ્મક્રીપિકા શાખામાં સહ સમાન આચાર્ય સિંહસૂરિજી મ. હતા. (૮) જેઓનો આ અનુયોગ આજે પણ મથુરાથી અર્ધ ભરતક્ષેત્રમાં પ્રસરેલ છે અને જેમનો યશ ઘણા નગરોમાં વ્યાપેલો છે તે આચાર્ય સ્કંદિલ ને હું નમસ્કાર કરું છું. (૯) - જિનકલ્પીની તુલના કરતાં આર્ય મહાગિરિજી મ. ને બહુલ નામના વિનયવર ( સુશિષ્યો હતા જેમણે જિનકલ્પીની તુલના કરી હતી. પછીથી આર્ય બલિસ્સહ સ્થવિર કલ્પ આચરેલ હતો. આર્ય બલિરૂહના શિષ્ય આર્ય સ્વાતિ આચાર્ય શ્રુતસાગરના પારગામી હતા અને તેમણે તત્ત્વાર્થસૂત્ર નામના શાસ્ત્રની રચના કરી હતી. તેમના શિષ્ય આર્ય શ્યામે પ્રજ્ઞાપના સૂત્રની રચના કરી હતી. શ્યામાચાર્યના શિષ્ય સ્થવિર શાંડિલાચાર્ય શ્રુતસાગરના પારગામી થયા. તે શાંડિલાચાર્યને આર્યજીતધર અને આર્ય સમુદ્ર નામના બે શિષ્યો થયા આર્ય સમુદ્રને આર્ય મડગુ નામના પ્રભાવક શિષ્ય થયા. આર્ય મડગુ ને આર્ય નંદિલ નામના પ્રભાવક શિષ્ય થયા. આર્ય નંદિલને આર્યનાગતિ નામના શિષ્ય થયા. આર્ય નાગહસ્તિને આર્ય રેવતી નક્ષત્ર નામના શિષ્ય થયા. આર્ય રેવતી નક્ષત્રને આર્ય સિંહ નામના શિષ્ય થયા. અને તેઓ બ્રહ્મઢીપિકા શાખાથી ઓળખાતા થયા. તે આર્ય સિંહ સ્થવિરને મધુમિત્ર અને આર્ય સ્કંદિલ આચાર્ય નામના બે શિષ્યો થયા. આર્ય મધુમિત્રના શિષ્ય આર્ય ગંધહતિ અત્યંત વિદ્વાન અને પ્રભાવક થયા. તેઓએ પૂર્વના સ્થવિરોત્તમ ઉમાસ્વાતિ વાચકવર રચિત તત્ત્વાર્થસૂત્ર ઉપર એંશી હજાર-૮૦૦૦૦ શ્લોક પ્રમાણ મહાભાષ્યની રચના કરી અને આર્ય સ્કંદિલ સ્થવિરના આગ્રહથી અગ્યાર અંગ ઉપર વિવરણની રચના કરી. તેમણે રચેલા આચારાંગના વિવરણના અંતે જણાવ્યું છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy