SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી જે વિક્રમાર્ક નામનો હતો તેણે સામંત નામના શકરાજા ઉપર આક્રમણ કર્યું અને વીર ભગવાનના ૪૧૦ વર્ષો પસાર થયા પછી અવંતિ નગરનો તે રાજા બન્યો. આ વિક્રમાર્ક રાજા અત્યંત પરાક્રમયુક્ત, જિનધર્મ આરાધક, પરોપકાર કરવામાં એકનિષ્ઠ હતો. અવંતિનગરીમાં રાજ્ય કરતો તે લોકોમાં અત્યંત પ્રિય બન્યો. એલાપત્ય ગોત્રના આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ ને હું વંદના કરું છું, ત્યાર બાદ કોષિકગોત્રના બહુલના સરિધ્વયં (= સરિતૃત આર્ય સમુદ્રને) ને હું વંદું છું. (૧) આર્ય સુહસ્તિથી સુસ્થિત – સુપ્રતિબુદ્ધ આદિ ક્રમ-પરિપાટી સ્થવિર કલ્પીઓની આવલિકા નિકળી. આર્ય મહાગિરિના આર્ય બહુલ અને આર્ય બલિસ્સહ એ બન્ને પ્રધાન શિષ્યો હતા અને તેઓ જિનકલ્પની તુલના કરતા હતા. હારિત ગોત્રના આર્ય સ્વાતિસૂરિને અને આર્ય શ્યામાચાર્યને અમો વંદીએ છીએ. આર્યજીતવ્યવહારને વફાદાર કોષિક ગોત્રના આર્ય સ્કંદિલ સૂરિજી (પંડિલસૂરિજી) ને હું વંદું છું (૨) ત્રણ સમુદ્ર સુધી જેમની કીર્તિ ફેલાઈ હતી, દ્વિપ અને સમુદ્રોનું જેમણે રહસ્ય જાણ્યું હતું (ભૂગોળ વિદ્યાના નિષ્ણાત) એવા અને અક્ષોભ્ય ગંભીર સમુદ્ર જેવા આર્ય સમુદ્રને હું વંદું (૩) જ્ઞાન-દર્શન ગુણોનું પ્રતિપાદન કરનારા, એના કિરણ સમાન, એનું સ્મરણ કરાવનાર અને એના પ્રભાવક એવા તથા ધૃતસાગરના પારગામી અને ધીર એવા આર્ય મંગુસૂરિને હું વંદના કરું છું (૪) જ્ઞાનને વિષે-દર્શનને વિષે- તપ-સંયમને વિષે નિત્ય કાળ ઉદ્યમવાળા, પ્રસન્ન (પવિત્ર) મનવાળા આર્ય નંદિસૂરિને હું મસ્તકથી વંદના કરું છું (૫) આર્ય નાગહસ્તિસૂરિજીના વાચકવંશનો યશવંશ વિસ્તારને પામો, જે આચાર્ય વ્યાકરણ-ગણિત-ભાંગા અને કર્મપ્રકૃતિના પ્રકાંડ વિદ્વાન હતા (૬) જાત્યંજન જેવા પ્રધાન અને બીડેલા કુમુદ જેવી શોભાના નિધાન રેવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy