SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી રાજ્ય પર રાજા તરીકે આવ્યો. તે જૈન ધર્મ આરાધક પ્રવર શ્રાવક હતો. તેણે ૨૫ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યું અને શ્રી મહાવીર ભગવાનના નિર્વાણથી ૨૦૯ વર્ષ પછી ધર્મારાધનાપૂર્વક તે સ્વર્ગવાસી બન્યો. ત્યાર બાદ શ્રી વીર ભગવાનના ૨૦૯ વર્ષ પસાર થયે છતે બિન્દુસારનો પુત્ર અશોક પાટલીપુત્રની રાજ્યગાદી પર રાજા તરીકે આવ્યો. એ રાજા અશોક પૂર્વે જૈનધર્મનો અનુયાયી હતો. પછીથી રાજ્યના લાભથી (કે લોભથી ?) ચાર વર્ષ બાદ બૌદ્ધ ધર્મના સાધુઓનો પરિચય કરીને, પોતાનું ‘પ્રિયદર્શી’ એવું બીજું નામ રાખીને બુદ્ધપ્રરૂપિત ધર્મ આરાધનાપર બન્યો. અત્યંત વિક્રમપરાક્રમથી એણે પૃથ્વી પર વિચરણ કરી કલિંગ-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર આદિ જનપદ (દેશો) પોતાને સ્વાધીન કર્યા, ત્યાં એણે બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો, અને બૌદ્ધ વિહારો બનાવરાવ્યા, છેક પશ્ચિમગિરિ ઉપર વિંધ્યાચલ આદિ પર્વતો ઉપર બૌદ્ધ શ્રમણ-શ્રમણીઓના વર્ષાવાસ માટે અનેક ગૂફાઓ કોતરાવી, અનેક પ્રકારની મુદ્રાવાળી બુદ્ધની પ્રતિમાઓ સ્થપાવી. ઉજ્જિત પર્વત (ગિરનાર ગિરિ) ઉપર આદિ અનેક સ્થાનોએ સ્તૂપ (સ્મૃતિ સ્તંભ)શિલાઓ વગેરે પર પોતાના નામથી અલંકૃત આજ્ઞા લેખો કોતરાવ્યા. સીહલચીણ-ખંભા (સિલોન, ચીન, બર્મા) આદિ દ્વીપોમાં બૌદ્ધ ધર્મના ફેલાવા માટે પાટલીપુત્ર નગરની અંદર બૌદ્ધ શ્રમણોનું સંમેલન કરીને ત્યાં તેણે પોતાના મતને અનુસરનારા અનેક બૌદ્ધ શ્રમણોને મોકલ્યા. જૈન ધર્મને અનુસરનારા નિર્પ્રન્થ અને નિગ્રન્થિનીઓ નો પણ તે આદર-સત્કાર કરતો હતો. ૧૮ ... તે તેઓની પ્રત્યે ક્યારેય પણ દ્વેષવાળો-દુર્ગુણવાળો બન્યો નહોતો. આ અશોકરાજાને અનેક પુત્રો હતા. તે પુત્રો પૈકીનો એક કુણાલ નામનો પુત્ર રાજ્યપ્રાપ્તિ માટે યોગ્ય હતો. તે કુણાલ પર વિમાતા (શોક્ય માતા) તિરસ્કાર કરતી હતી. એવું જાણી રાજા અશોકે પોતાના પ્રધાનોની સાથે તે પુત્રને અવંતીનગરીમાં પોતાનાથી અલગ રાખેલો. પરંતુ શોક્યમાતાના કપટ પ્રયોગથી તે આંધળો બન્યો હતો. આ અનર્થ જાણીને રાજા અશોક ક્રોધાધિભૂત બન્યો અને તેણે પોતાની પત્ની તથા બીજા અનેક રાજકુમારોને મારી નખાવેલા હતા. પછીથી કુણાલના પુત્ર સંપ્રતિને પોતાના રાજ્ય પર સ્થાપીને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy