SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી તેઓએ ઉપકેશ નગરીમાં એક લાખ અને એંશી હજાર ક્ષત્રિયપુત્રોને પ્રતિબોધિત કર્યા. જૈનધર્મ પામેલા તેઓનો ઉપકેશ નામનો વંશ સ્થાપ્યો. વીર ભગવાનના નિર્વાણથી એકત્રીસ વર્ષ પછી કોણિકરાજાનો પુત્ર ઉદાયી રાજા પાટલીપુત્ર નગર વસાવીને ત્યાં મગધદેશનું રાજ્ય કરતો રહેલો છે. તે કાલ અને તે સમયને વિષે તેને જિનધર્મની અંદર દઢ અને અત્યંત શ્રદ્ધાવાળા જાણીને તેના કોઈક શત્રુએ નિર્ગુન્થનો વેશ પહેરીને ધર્મકથા સંભળાવવાના બહાનાથી એકાંતમાં એના આવાસમાં જઈને આ ઉદાયી રાજાને મારી નાખ્યો. શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ સાઠ વર્ષ પસાર થયે છતે પ્રથમ નંદ નામના હજામપુત્રને પ્રધાનોએ પાટલીપુત્રના રાજ્ય પર સ્થાપ્યો. તેના વંશની અંદર કમસર નંદ નામના નવ રાજાઓ થયા. આઠમો નંદ રાજા અત્યંત લોભાભિક્રાન્ત હતો. મિથ્યાત્વથી અંધ એવા તેણે પોતાના વિરોચન નામના બ્રાહ્મણ મંત્રીથી પ્રેરાઈને કલિંગ દેશ પર ચડાઈ કરી અને એને જીતી પૂર્વ ત્યાં તીર્થસ્વરૂપ કુમાર પર્વત ઉપર શ્રેણિક રાજાએ કરાવેલ શ્રી ઋષભદેવનો જિનપ્રાસાદ તોડી નાખ્યો અને ત્યાંની સુવર્ણની શ્રી ઋષભદેવની પ્રતિમાજીને ઉપાડી જઈને પોતાના પાટલિપુત્ર નગરમાં લઈ ગયો. ત્યારબાદ શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ એકસો ચોપ્પન વર્ષ પછી ચાણક્યનો વિનય કરનારો જે મૌર્યપુત્ર ચંદ્રગુપ્ત થયો, તેણે નવમા નંદરાજાને પાટલીપુત્રથી હાંકી કાઢી, પોતે મગધદેશનો રાજા બન્યો. તે રાજા પૂર્વે મિથ્યાત્વથી રંગાયેલો અને બૌદ્ધધર્મના અનુયાયી હતો, જૈન શ્રમણ નિર્ગુન્હો ઉપર પણ પ્રષવાળો હતો પણ પછીથી ચાણક્યના અનુયાયીપણાથી જિનધર્મની ઉપર દઢ શ્રદ્ધાવાળો બન્યો હતો. અત્યંત પરાક્રમવાળો તે યુનાની દેશના શાસક રાજા સેલ્યુક્સની સાથે મૈત્રીવાળો થયેલો અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવામાં પ્રવૃત્ત થયેલો. તેણે પોતાના રાજ્યમાં પોતાનો મૌર્યસંવત્સર શરૂ કરાવેલો. શ્રી મહાવીર પ્રભુના ૧૮૪ વર્ષ પછી રાજા ચંદ્રગુપ્ત પરલોક સિધાવ્યો. તે કાળ અને તે સમયને વિષે ચંદ્રગુપ્તનો પુત્ર બિન્દુસાર પાટલીપુત્રના દિધર્મનો આજ રાજ બી મા નંદરાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy