SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૫ જે રાત્રિને વિષે તીર્થંકર પ્રભુ શ્રી વર્ધમાનસ્વામી નિર્વાણ પામ્યા, તે જ રાત્રિએ પ્રભુના સૌથી મોટા અણગાર ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યાર બાદ અગ્નિ વૈશાયન ગોત્રના આર્યસુધર્માસ્વામી વિરને નિર્ગુન્થગણ સારી રીતે સોંપીને કેવળજ્ઞાની ઈન્દ્રભૂતિ મહારાજ, મહાવીર ભગવાનના નિર્વાણગમન પછી બાર વર્ષ પસાર થયે છતે નિર્વાણ પામ્યા. મહાવીર પ્રભુના નિર્વાણગમન બાદ વીસ વર્ષ પસાર થયા પછી કેવળી આર્ય સુધર્મા સ્વામી નિર્વાણ પામ્યા એમની પાટ ઉપર આર્ય જબ્બ નામના સ્થવિર આવ્યા હતા. મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૭૦ વર્ષ પસાર થયા પછી મતમતરે ૬૪ વર્ષ વિત્યા પછી પોતાની પાટે પ્રભવ સ્વામીને ગણ સોંપીને આ જંબૂ (આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળજ્ઞાની) નિર્વાણ પામ્યા. પ્રભવસ્વામી પણ આર્ય સ્વયંભવસૂરિવરને પોતાની પાટ ઉપર સ્થાપીને વીર નિર્વાણ થી ૭૫ વર્ષ પસાર થયે છતે સ્વર્ગવાસી થયા. આર્ય સ્વયંભવ સૂરિવર મ.શ્રી પણ પોતાની પાટે આર્ય યશોભદ્રસૂરિજી મ. ને સ્થાપીને વીર નિર્વાણથી ૯૮ વર્ષ પસાર થયે છતે સ્વર્ગવાસી બન્યા. આર્ય યશોભદ્રસૂરિજી મ. પણ વીર નિર્વાણથી એક સો અડતાળીસ વર્ષ બાદ સ્વર્ગવાસી બન્યા. તેમની પાટ-પરંપરામાં બે અંતેવાસી સ્થવિરો થયા. (૧) માઢર ગોત્રવાળા આર્ય સ્થવિર સંભૂતિ વિજ્યજી સૂરિવર અને (૨) પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાહૂ સ્થવિર. Wવીર સંભૂતિવિજયજી પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણના ૧૫૬ વર્ષ વ્યતિત થયે છતે સ્વર્ગવાસી થયા. આર્ય ભદ્રબાસૂરિજી પણ શકટાલમંત્રીના પુત્ર આર્ય છેલ્લા ચૌદશપૂર્વધર સ્થૂલભદ્રસ્વામીને પોતાની પાટ ઉપર સ્થાપીને મહાવીર પ્રભુના નિર્વાણના ૧૭૦ વર્ષ પસાર થયે છતે પાણી સહિતના પંદર દિવસના સતત ઉપાવાસપૂર્વક પ્રતિમામાં રહેલા કલિંગદેશમાં કુમારગિરિપર સ્વર્ગમાં પધાર્યા. આર્ય સ્થવિર સ્થૂલભદ્ર સ્વામીજીને બે અંતેવાસી સ્થવિર હતા (૧) સ્થવર આર્ય મહાગિરિજી (૨) આર્ય સ્થવીર સુહસ્તીજી. આર્યશ્રી જંબૂસ્વામીજીના મોક્ષગમન પછી જિનકલ્પનો વિચ્છેદ થયો હોવા છતાં જે ધીર મહાપુરુષે જિનકલ્પની તુલના કરી હતી તે મુનિઓમાં વૃષભસમાન પરમચારિત્રગુણધારક અને જેમણે જિનકલ્પમુનિનું પરિકર્મ કરેલું હતું અને જેમની સંસ્તવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy