SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી શ્રી હિમવદાચાર્ય નિર્મિતા સ્થવરાવલી ગુજરાતી ભાવાનુવાદ નમોડસ્તુ વર્ધમાન સ્વામિને ! નમોડસ્તુ ભીડભંજન પાર્શ્વનાથાય છે નમોડસ્તુ શ્રીમદ્ વિજ્ય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરેભ્યઃા પરમ પદ પ્રાપ્ત કરેલા તે શ્રી વર્ધમાનસ્વામી તીર્થકર ભગવાનને અને ગણનાનાથ ગણધરશ્રી ગૌતમસ્વામીને નમસ્કાર કરીને હું ક્રમસર સ્થવિરાવલીને કહું છું. સ્થવિર = (વિ.) વૃદ્ધ-બૂઢા, પૂ. જૈન સાધુ ચિરપ્રવ્રનિતિ: શતઃ સ્થિરચરિત્રપતિઃ સ્થવિરાવલી = જૈન મુનિઓનો સમૂહ, કમથી જૈન મુનિગણના ચરિત્રનો પ્રતિપાદક ગ્રંથ. તે અહીં તો ભગવાન શ્રી મહાવીરદેવની પાટપરંપરામાં આવેલા સ્થવિર મુનિઓની વાત વિશેષ કરાશે. | ગાથા ૧ | સારી ભક્તિથી સંયુક્ત એવો હું સૌ પ્રથમ મુનિઓના સ્વામી સુધર્માસ્વામીને વંદન કરું છું. જેમનો આ પરિવાર કલ્પવૃક્ષની જેમ વિસ્તાર પામ્યો છે.. પ્રભુશ્રી મહાવીરદેવને નવગણ અને ૧૧ ગણધરો હતા તે પૈકીના સૌથી અધિક દીર્ઘ આયુષ્યવાન હોવાથી પ્રભુની પાટ પર પાંચમા ગણધરશી સુધર્માસ્વામીજી આવ્યા. આજનો સમસ્ત શ્રમણ સમૂહ શ્રી સુધર્માસ્વામીનો સંતાનીય અનુયાયી ગણાય છે. એ ગાથા ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy