SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૭૩ અહમદનગરમાં આનંદઋષિનું ભવ્ય સમાધિ સ્મારક છે. જ્યારે તેમની સ્વર્ગગમન તિથિ આવે ત્યારે તેમના ભક્તો ધૂળિયા, નાસિક આદિથી પગપાળા ચાલીને - ત્યાં પહોંચે છે અને ગુરુની ભક્તિ કરે છે. ઉદયપુરમાં પુષ્કરગુરુનો ૮૧ (એક્યાસી) ફુટ ઊંચો ટાવર લાખોના ખર્ચે નિર્માણ થયો છે. જેના ઉપર ગુરુના અસ્થિ – ડેડબોડીની રાખનો કળશ પધરાવેલો છે. પોતાના ગુન્ના આ અને આવા અનેક સ્થાનકો રચવા, ત્યાં ભોજનશાળા ખોલવી, ધૂપ કરવા, બગીચા બનાવવા આદિમાં એમને હિંસા દેખાતી નથી. અને જિન ભગવાનના મૂર્તિમંદિરોમાં હિંસા દેખાય છે. આ પણ એક મોહરાજાની કરામત જ છે ને ! - જિનમંદિર મૂર્તિ વિરોધી સંતો પોતાના ગુરુના અને પોતાના સ્વયંના ફોર કલરમાં, મોટા સુંદર ફોટા છપાવી ભક્તોમાં વહેંચે છે. પુસ્તકમાં પોતાના રંગીન ફોટા છપાવે છે, ગ્રૂપ ફોટા પડાવે છે, એક પુસ્તકના પાને પાને – ચાર ખુણે - ચાર-ચાર ફોટા ગુરુના અમે નિહાળ્યા છે. આ પોતાના ફોટા તૈયાર કરવાની હિંસાનો તેમને વાંધો નથી. એ કેટલું આશ્ચર્ય છે કે - છમસ્થ, મંદિર-મૂર્તિને નહીં સ્વીકારનારાઓ પણ પોતાના ગુરુઓના સ્મારક, ફોટા, પગલ્યા આદિ નિર્માણ થાય ત્યાં એમને હિંસા ન લાગે, અને વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રપૂજિત પરમસત્યવાદી, ત્રિભુવનભાનુ-તીર્થંકર પરમાત્માના મંદિરમાં જ હિંસા-હિંસાની બુમ પાડવામાં આવે છે ! - જિનમંદિર-મૂર્તિપૂજાના એકાંત વિરોધી કેટલાક સંતો અસત્યનો આશ્રય લઈ જિનવર-ગણધરના આગમપાઠોમા પણ કાપ-કૂપ મુકે છે. આગમ પાકોમાં પણ ફેરફાર કરે છે. આથી વધારે બીજા સત્યમહાવ્રતનો નાશ બીજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy