SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ અને આ ધુરંધર-પ્રાચીન-સત્યપ્રિય આચાર્યોના સદુપદેશથી જ કલિંગદેશના રાજા-મહામેઘવાન ખારવેલ, સમ્રાટ અશોક પૌત્ર મહારાજા સંપ્રતિ, અવંતિસુકુમાળના પુત્ર મહાકાલક, મંત્રી વિમળશા, મહારાજા કુમારપાળ આદિ રાજા-મહારાજા–મહાન શ્રાવકોએ ભગવાન શ્રી જિનેશ્વર દેવના તીર્થોના નિર્માણ કરાવ્યા છે, ભવ્ય જિનાલય-દેહરા બંધાવ્યા છે. સ્થવિરાવલી આ પ્રાચીન આચાર્યોના તથા પ્રાચીન તીર્થોના ઈતિહાસ વગર જૈનધર્મના અસ્તિત્વનું–ઈતિહાસનું કથન કરવું તે અજ્ઞાનભર્યું ને અધુરૂં જ રહે. જૈન તીર્થો તથા પ્રાચીન આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણી, ટીકા અને આગમેતર પ્રાચીન જૈન સાહિત્યનો અનાદર કરવાવાળા સ્થાનકવાસી સમાજે પાછો પોતાનો ઈતિહાસ લખવા માટે આજ પ્રાચીન જૈનમંદિરોતીર્થો અને સાહિત્યનો ઉપયોગ કર્યો છે. આ પણ એક આશ્ચર્ય જ છે ને? યદ્યપિ આ બધા પ્રાચીન સાહિત્ય અને પ્રાચીન તીર્થોના ઈતિહાસમાં મૂર્તિપૂજાની સત્ય-તથ્ય વાત આવે ને આવે જ. પણ એ સમાજને તો જિનમૂર્તિપૂજાનો વિરોધ કરવો છે, એટલે તે સમાજને તેના પંચમહાવ્રત નિયમ ધારી સંતોને જુઠ-કપટનો અને સત્ય છૂપાવવાનો સહારો લેવો પડે છે. અને આનાથી તેઓ અજ્ઞાની-ભોળા જનોને ઠગતા પણ હોય છે. જોકે, હવે તો આ નવાપંથી સંતો પણ પોતાના ગુરુજનોની મૂર્તિ, પગલ્યા, ચોતરા, સ્મૃતિમંદિર, ટાવર, ચિત્રાલય આદિના નિર્માણ ખૂબજ પ્રેમ-આદર અને આનંદથી કરાવવા લાગ્યા છે. મેરઠમાં આ નવા પંથવાળાની ગુરુની મૂર્તિ પધરાવી વિશાળ સ્મારક રચાવ્યું છે. જ્યાં વિશાળ ઘાસના બગીચામાં રોજ ઘાસ કપાય છે. પાણીના ફુવારાથી શોભા કરી છે અને રાત્રે મોટી મોટી ફ્લડ લાઈટની રોશની ઝળહળે છે. ઔરંગાબાદમાં ગુરુ ગણેશમલજીનું વિશાલ સ્મારક છે, જ્યાં ગુરુમૂર્તિ આગળ લોકો ધૂપ કરે છે, માથું ટેકાવી વંદન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy