SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૬૯ વાંધો ઉઠાવે છે તેઓ મોટા પૂજ્યોની આશાતના કરે છે અને તેથી બહુ લાંબા સંસારના ભાગી થાય છે, જીવાજીવાભિગમની શ્રીમલયગિરિકૃત ટીકામાં કહ્યું છે – સૂત્રો જુદા જુદા અભિપ્રાયવાળા હોય છે. તેમને સારી રીતે સમ્પ્રદાયથી જાણવા જોઈએ, તેથી તેના અભિપ્રાયને જાણ્યા વિના વાંધો ન ઉઠાવવો, કેમકે તેમ કરવાથી મહાશાતના થવાથી મહાઅનર્થ થાય છે. આમ હાલમાં દુષમકાળમાં અનુષ્ઠાન કરનારા સુવિહિત સાધુઓને વિષે જેઓ ઈર્ષ્યાળુ છે તેઓ પણ વૃદ્ધ પરંપરાથી આવેલા સંપ્રદાયથી સમજવા યોગ્ય સૂત્રના અભિપ્રાયને દૂર ફેંકીને ઉત્સત્રની પ્રરૂપણા કરનારા છે અને તેથી મોટી આશાતનાના ભાગી સમજવા અને તત્ત્વના જાણકારોએ દૂરથી જ તેમનો તિરસ્કાર કરવો. ललितविस्तरादिवृत्तिचूर्योऽपि सूत्रसम्बद्धत्वात् तथाविधबहुश्रुतदृष्टत्वाच्चावश्यकनन्द्यादिचूर्णिवदेव प्रमाणयितव्याः ।। લલિતવિસ્તરા વગેરે વૃત્તિ, ચૂર્ણાઓ પણ સૂત્રથી સંબદ્ધ હોવાથી અને તેવા પ્રકારના બહુશ્રુતો વડે લેવાયેલ હોવાથી આવશ્યક ચૂર્ણ, નંદીચૂર્ણ વગેરેની જેમજ પ્રમાણભૂત કરવી. __तथा कदाचित् कोऽप्येवं वक्ष्यति - गणधरादिकृतमेव प्रमाणतया स्वीक्रियते, नापरं चूादि, तदयुक्तं यतश्चूादीनि सूत्रव्याख्यारुपाणि, तेषामप्रामाण्ये सूत्रेषु प्रतिपदं प्रतिनियतार्थप्रतिपत्तिर्न भवति, सर्वथाप्यर्थानवगमो वा, चूाद्यनपेक्षतथाविधार्थ धारणा बलोपेतपुरुषपरम्परासमायाताम्नायस्य क्वाप्यनुपलम्भात्, अपरं च - प्रव्रज्योपस्थापनाद्यनेककृत्येषु वन्दनककायोत्सर्गादिबहुविधानुष्ठानं प्रतिनियतं सूत्रेऽदृश्यमानं चूाद्युपदिष्टं विधीयमानमुत्सूत्रं भवेद्, एवं च तस्य सर्वसंयमव्यापाराणामप्रामाण्यं प्रसज्यते । કદાચ કોઈ એમ કહે કે - ગણધર વગેરે વડે કરાયેલું જ પ્રમાણ તરીકે સ્વીકારાય છે, બીજું ચૂર્ણ વગેરે પ્રમાણભૂત નથી ગણાતું તે વાત બરાબર નથી કેમકે ચૂર્ણ વગેરે સૂત્રની વ્યાખ્યારૂપ છે, તેમને અપ્રમાણ કહેશો તો સૂત્રોમાં દરેક પદના ચોક્કસ અર્થનો બોધ નહીં થાય, અથવા સર્વથા પણ બોધ નહીં થાય, કેમકે ચૂર્ણ વગેરેની અપેક્ષા વિનાનો તેવા પ્રકારના અર્થને ધારણ કરવાના બળથી યુક્ત પુરૂષોની પરંપરાથી આવેલો આમ્નાય ક્યાંય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy