SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૫૫ સત્યપુર તીર્થના કલ્પમાં લખે છે કે વિ.સં. ૮૪૫માં હમીરના સૈન્ય વલભી ભાંગ્યું છે. આ બન્ને સાલવારીઓ પાસે પાસે પડે છે. વલભી ભાંગ્યું, ત્યારે ત્યાંનાં જૈન, બૌદ્ધ અને શૈવોનાં સેંકડોં મંદિરોનો નાશ થયો છે. આ પ્રસંગે જૈનાચાર્યો ત્યાંથી વિહાર કરી પ્રભાસપાટણ, અણહિલપુરપાટણ, થરાદ તથા ભિન્નમાલ તરફ ચાલ્યા ગયા હતા. આ સમયે થરાદગચ્છના આ. શાંતિસૂરિએ વલભીસંઘને ઘણી મદદ કરી હતી. આચાર્ય સંભૂતિ : તેઓ બીજા ઉદયના ૧૩મા યુગપ્રધાન છે. આચાર્ય શાંતિસૂરિ : થારાપદ્રગચ્છમાં મહાવાદી આ. શાંતિભદ્રસૂરિ થયા છે. તેમણે વલભીભંગ થયો ત્યારે શ્રીસંઘને મોટી મદદ કરી હતી. દાદા ધર્મઘોષસૂરિ લખે છે કેवालब्भसंघकजे, उज्जमिओ जुगपहाणतुल्लेहिं । થવ્યવાસાત-સંતિકૂરિરિંવદુના II (સમયસંઘથયં-અવસૂરિ) જૈન ગ્રંથભંડારો : ઈતિહાસના પરિશીલનથી સમજી શકાય છે કે શંકરાચાર્યના અનુગામીઓનું સશસ્ત્ર આક્રમણ, પંચાસરનો ભંગ, છેલ્લી જૈનાગમવાચનાનું કેન્દ્ર યાને હસ્તલિખિત જૈન શાસ્ત્રોના મોટા સંગ્રહસ્થાનવાળા વલભી નગરનો ભંગ, વગેરે વગેરે કારણે જિનાલયો અને જૈનશાસ્ત્રોને પારાવાર નુકશાન થયું હતું. એવામાં વિ.સં. ૮૪૧ થી ૮૪૫ સુધી પાંચ વર્ષનો રૌરવ દુકાળ પડ્યો. એટલે જૈનસંઘમાં ગ્રંથરક્ષાનો સવાલ ઊઠયો અને ગ્રંથભંડારો સ્થપાયા. “વીર વંશાવલી’ અને ‘પં. ખુશાલવિજય પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે- વિ.સં. ૮૪૧ થી ૮૪૫ સુધી પાંચ વર્ષનો દુકાળ પડ્યો, એટલે જૈન મુનિઓ શિથિલ થયા. ત્યારે ઉ. સંભૂતિ, ઉ. ગોવિંદ, દુષ્યગણિ ક્ષમાશ્રમણ, ઉગ્ર તપસ્વી ક્ષેમઋષિ, મલધારગચ્છીય શ્રીહર્ષતિલક, શ્રીસ્થૂલિભદ્ર વંશે શ્રીહર્ષપૂરીયગચ્છ શ્રીકૃષ્ણર્ષિ પ્રમુખ ગીતાર્થોએ મળી શ્રીસૂરિના વચનથી વિષમ સમય જાણી મહાનગરે શુભ સ્થાનોમાં સિદ્ધાંતના ભંડારો સ્થાપ્યા, જ્ઞાનયત્ન કર્યો વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy