SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ગુજાર્યો, ઘણા શ્રમણોને કાપી નાખ્યા; શ્રમણોનાં મંદિરોનો નાશ કર્યો, એમ અનેક રીતે નુકસાન પહોંચાડયું હતું. ૧૫૪ ઈતિહાસ કહે છે કે, આ મંથનકાળમાં જૈનોને પણ ઘણું વેઠવું પડ્યું છે. જૈનોએ પૂર્વભારતનો ત્યાગ કર્યો, પોતાની વહાલી મગધભૂમિનો ત્યાગ કર્યો, તીર્થો છોડયાં, મંદિરો છોડયાં અને ત્યાંના ગૃહસ્થોએ જૈનધર્મ છોડયો. પુષ્યમિત્ર રાજા પછી આ બીજી ધર્મક્રાંતિ થઈ છે. આ સમયે શંકરાચાર્યના અનુયાયીઓએ બદ્રી પાર્શ્વનાથ, જગન્નાથપુરી, કુમારગિરિ, ભુવનેશ્વર વગેરે અનેક જૈન તીર્થોને અને બૌદ્ધગયા વગેરે બૌદ્ધતીર્થોને પોતાના કાબૂમાં લીધાં હતાં; જે આજ સુધી તેઓના હાથમાં છે. આ વિકટ પરિસ્થિતિમાં સુધારો થતાં જ જૈનાચાર્યોએ પણ પૂર્વભારતમાં વિચરી કુનેહથી ઘણાં જૈન તીર્થોને પુનઃ હસ્તગત કરી લીધાં છે, જે આજે શ્વેતાંબર જૈનસંઘને આધીન છે. જ વલભી ભંગ - વીર નિર્વાણ સં. ૮૪૫માં વલભી ભાંગ્યું હતું. ત્યાર પછી વલભી રાજાઓએ વલભી નગરને ફરી ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું અને સૌરાષ્ટ્ર, ખેડા, વડનગર તથા ગોધરાના પ્રદેશો સુધી પોતાની સત્તા ફેલાવી હતી. બીજી તરફ ભિન્નમાલથી પંચાસર સુધીનો પ્રદેશ તે સમયે ગુજરાત તરીકે ઓળખાતો હતો; તેમાં પંચાસર, જો કે ભિન્નમાલનું ખંડિયું રાજ્ય હતું, કિન્તુ સમૃદ્ધ હતું. વિક્રમની આઠમી સદીના ઉત્તરાર્ધથી આ નગરોએ અવળો ઝોક ખાધો. વિ.સં. ૭૫૨માં કલ્યાણીના ભૂવડે આવી પંચાસર સર કર્યું. વિ.સં. ૭૮૦માં સિંધના અરબી લશ્કરે આવી પંચાસરનો નાશ કર્યો અને ભરૂચ લૂંટયું. વિ.સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ મહેસૂલખાતાના અધિકારીને મારી, લશ્કર ઊભું કરી પાટણની ગાદી સ્થાપી. વિ.સં. ૮૧૩માં નાગોરના પ્રતિહારવંશી નાગાવલોકે ભરૂચના રાજાને મારી ચૌહાણ ભવૃદ્ધને ત્યાંનો સૂબો બનાવ્યો, રાષ્ટ્રકૂટવંશી રાજા કર્કને મારી લાટ ને માળવો જીતી લીધાં. વિ.સં. ૮૩૨ લગભગમાં રાંકા વાણિયાએ કાવત્રું કર્યું અને અરબી ટોળીએ આવી વલભી ભાંગ્યું. વળી થોડાં વર્ષો પછી ભિન્નમાલ પણ તૂટયું. વગેરે....વગેરે.... એટલે વિ.સં. ૮૩૨માં વલભીપુર ભાંગ્યું છે. આ. જિનપ્રભસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy