SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ તેમણે વૈરાટનગરમાં પણ દિગમ્બરોને હરાવી જયનાદ ગજાવ્યો હતો અને શ્વેતાંબર ધર્મનો ફેલાવો કર્યો હતો. સ્થવિરાવલી આ અરસામાં આ. ભૂતદિન્નસૂરિ, આ. દેવર્ધિગણી ક્ષમાશ્રમણ, આ. કાલકસૂરિ (ચોથા), આ. સત્યમિત્રસૂરિ વગેરે વાચનાચાર્યો અને યુગપ્રધાનો થયા છે. વળી આ જ અરસામાં વલભીમાં પાંચમી આગમવાચના અને વડનગરમાં સંઘસમક્ષ ‘કલ્પસૂત્ર’નું વાચન થયાં છે. વલભીમાં પાંચમી આગમવાચના : આ. કંદિલસૂરિએ મથુરામાં ચોથી આગમવાચનામાં જે આગમો લખ્યાં હતાં, તેનો વારસો આ. દેવવિંગણી ક્ષમાશ્રમણ પાસે હતો અને આ. નાગાર્જુનસૂરિએ વલભીમાં વાચના કરી જે આગમો લખ્યાં હતાં, તેનો વારસો આ. ભૂતદિન્નસૂરિ તથા આ. કાલકસૂરિ (ચોથા) પાસે હતો. આ આચાર્યોએ વીર સં. ૯૮૦માં વલભીમાં મોટું મુનિસમ્મેલન મેળવ્યું, અને તેની રૂબરૂમાં ચોથી આગમવાચનાના બન્ને પાઠોને તપાસી એક ચોક્કસ પાઠ તૈયાર કર્યો, જેમાં આ. સ્કંદિલની વાચનાના પાઠને કાયમ રાખ્યો અને આ. નાગાર્જુનની વાચનાના પાઠને વાયાંતર કહી સાથે જ દાખલ કર્યો. આ ઉપરાંત તે બન્નેય વાચનાના પાઠાંતરો હતા, તેને પણ છ્હે. વગેરે સંકેતોથી કાયમ જ રાખ્યા છે અને એ રીતે દરેક આગમને પુસ્તકારૂઢ કર્યાં છે. લખવાની સરળતા માટે ફરી ફરી આવતા પાઠોને પૂર્વ લખેલ સ્થાનોની સાક્ષી આપી ટૂંકાવી દીધા છે. આગમોમાં ૧૧ અંગો સૌની પછી લખ્યાં છે. આ રીતે આ મુનિસમ્મેલનમાં ૮૪ આગમ, નિર્યુક્તિ, ભાષ્ય, કમ્મપયડિ અને તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો મળીને ક્રોડો શ્લોકપ્રમાણ સાહિત્ય પુસ્તકારૂઢ થયું છે. જો કે તેમાંથી પણ કાળના પ્રભાવે ઘણું સાહિત્ય નાશ પામ્યું છે. પરમ સૌભાગ્યની વાત એ છે કે આપણને આજે જે આગમો મળે છે, જે અસલી જિનવાણી જળવાઈ રહી છે, તે આ આગમવાચનાનું જ મીઠું પરિણામ છે. ચોરાશી જિનાગમો : આ. દેવર્ધિગણી શ્રમાશ્રમણે વલભીમાં વીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy