SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી સં. ૯૮૦માં પાંચમી આગમવાચનામાં અર્ધમાગધી તથા પ્રાકૃત ભાષામાં ૮૪ આગમો લખ્યાં હતાં. કલ્પસૂત્રનું વાચન : આ. કાલિકસૂરિ (ચોથા) વીર સં. ૯૮૩ થી ૯૯૪ સુધી યુગપ્રધાનપદે હતા. તેઓ વિહાર કરતાં કરતાં આણંદપુર પધાર્યા અને ત્યાં ચોમાસું રહ્યા. આ સમયે ભટ્ટાર્ક સેનાપતિનો ત્રીજો પુત્ર ધ્રુવસેન પોતાના પરિવાર સાથે આણંદપુરમાં રહેતો હતો. તેનો યુવરાજ પુત્ર દૈવયોગે મરી ગયો, આથી આખા રાજ્યમાં શોકની છાયા વ્યાપી ગઈ.. આ. કાલિક રાજા ધ્રુવસેનને પ્રતિબોધી શોક દૂર કરવા; વીર સં. ૯૯૩ના ભાદરવા શુદિ ૪ને દિવસે સવારે ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનું પ્રથમ વાચન કર્યું. રાજા ધ્રુવસેન શોક મૂકી, કલ્પસૂત્ર સાંભળવા આવ્યો હતો. અત્યારે પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. જૈનો પર્યુંષણામાં શુદ્ધ વસ્ત્રો પહેરી આદરપૂર્વક વિધિસહિત શ્રીકલ્પસૂત્રને સાંભળે છે અને તે વિધિને પરમ દ્રવ્યમંગળ તથા ઉત્કૃષ્ટ ભાવમંગળ તરીકે માને છે. ૧૫૧ વીતભયનગરનો ટીલો જે આજે અક્ષાંશ ૨૭-૧૫, રેખાંશ ૬૮-૧૫ના સ્થાને મોહન-જો-ડેરો (મરેલાઓની ટેકરીઓ) તરીકે પ્રસિદ્ધ છે; ત્યાંથી ભગવાન પાર્શ્વનાથની ધાતુપટ્ટ ઉપર બનાવેલ ઘણી પુરાણી મૂર્તિ મળી છે. (જૈન સત્યપ્રકારા, ક્ર. ૧૭૨) પં. નેમિચંદ્ર જ્યોતિષાચાર્ય લખે છે કે, શ્રી મિહિરકુલના પહેલી જાતના સિક્કાઓ મળે છે, તે જૈન સિક્કાઓ છે. (જૈન સિદ્ધાંત ભાસ્કર, તા. ૧૫-૧૨-૫.; જૈન તા. ૧૮-૫-૫૧) વલભીતીર્થ : વલભીમાં વીર સં. ૯૮૦ માં આગમો પુસ્તકારૂઢ થયાં છે, તેથી તે આગમતીર્થ મનાય છે. આચાર્ય શ્રીપ્રદ્યુમ્નસૂરિ - તેઓ આ. યશોદેવસૂરિના પટ્ટધર છે. (વિક્રમની આઠમી સદીના ઉત્તર ભાગ ૧) આ. ગુણરત્નસૂરિ તેમને માટે લખે છે કે प्रद्युम्नसूरिर्जिनशासनाम्बर - प्रद्योतनैकधुमणिस्ततोऽभूत् ॥ (ક્રિયારત્નસમુચ્ચય, ગુરુપર્વક્રમ, શ્લોક : ૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy