SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી. ૧૪૯ પ્રભાવકો થયા છે. સંભવ છે કે આ. સ્કંદિલસૂરિ અને આ. દેવર્ધિગણિની વાચનાઓના મધ્યકાળના આ ગ્રંથકારો છે. આ. શિવશર્મસૂરિ ઃ આ આચાર્ય દષ્ટિવાદના બીજા પૂર્વની પાંચમી ‘ચવણવત્યુના ચોથા “કમ્મપડિપ્રાભૃત” માંથી ઉદ્ધરીને કર્મવિષયક કમ્મપયદિ શાસ્ત્ર રચ્યું છે, જે કર્મ વિષયનો પ્રાચીન ગ્રંથ છે, એમાં વિષયનિરૂપણની ગૂંથણી અજોડ છે. પ્રાચીન કાળના શ્વેતાંબર આચાર્યો અને દિગમ્બર આચાર્યો આ ગ્રંથને પ્રમાણ કોટિનો માને છે. તેનું પ્રમાણ ૪૭૫ પ્રાકૃત ગાથાનું છે. પછીના આચાર્યોએ તેના ઉપર ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓની રચના કરી છે. આ સિવાય તેમણે એ જ કમ્મપડિપાહુડ'ના આધારે પાંચમો શતક નામનો ‘કર્મગ્રંથ' બનાવ્યો છે, જે ૧૧૧ ગાથા પ્રમાણ છે. પછીના આચાર્યોએ તેને પણ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓ વડે વધુ સુપાય બનાવ્યો છે. આ આચાર્ય વિક્રમની પાંચમી સદીમાં થયા છે. આ. ચંદ્રર્ષિ મહત્તર : આ. ચંદ્રષિ મહત્તર પૂર્વશ્રુતના આધારે “પંચસંગ્રહ” ગ્રંથ બનાવ્યો છે, જેમાં ૧. શતક, ૨. સતિકા, ૩. કષાયપ્રાકૃત, ૪. સત્કર્મ ને ૫ કર્મપ્રકૃતિ; એમ પાંચ વસ્તુઓનો સંગ્રહ છે, તેથી તેનું નામ પંચસંગ્રહ રાખવામાં આવ્યું છે. તેની ગાથા ૯૬૩ છે, ભાષા પ્રાકૃત છે, ૯૦૦૦ શ્લોકપ્રમાણની તેની ટીકા પણ પોતે જ બનાવી છે. ટીકામાં પોતે “સમતિકા’ને દષ્ટિવાદના નિચોડ તરીકે ઓળખાવી છે. આ આચાર્યનો સમય વિક્રમની ત્રીજીથી પાંચમી સદી મનાય છે. આચાર્ય શ્રીસમુદ્રસૂરિ - આચાર્યશ્રી વિક્રમસૂરિની પાટે થયેલા આ. નરસિંહસૂરિની પાટે આ. સમુદ્રસૂરિ થયા છે. તેઓ અજોડ વાદી હતા. આ. મુનિસુંદરસૂરિ લખે છે કે ખુમાણ રાજાના કુળમાં સમુદ્રસૂરિ થયા, તેમણે દિગંબરોને વાદમાં હરાવ્યા, અને નાગહૃદમાં ભગવાન પાર્શ્વનાથનું તીર્થ પોતાને આધીન કર્યું.” (ગુર્નાવલી, શ્લોક ૨૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy