SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સ્થવિરાવલી “વલભીવાચના કરી. આ ચોથી વાચના અને પાંચમી વાચનાને અનુલક્ષીને લખ્યું હોય એમ સંભવે છે. આ સિવાય પં. વિજ્યવિમલની ‘ગચ્છાચાર ટીકા” અને “હિમવંત થેરાવલીમાં પણ આ વાચનાનો ઉલ્લેખ મળે છે. હિંમવંત-થેરાવલી'ના અંતે સંસ્કૃત પાઠ છે તે પૂર્વે જણાવાયો છે. ચૈત્યસ્થિતિ - વીર સંવત ૮૮રમાં ચૈત્ય સ્થિતિ થયેલ છે એટલે જૈન મુનિઓએ વિ.સં. ૪૭રમાં વનવાસ બંધ કરી વસ્તીવાતનો સ્વીકાર કર્યો છે. જો કે એક તરફ ભયંકર ચૈત્યવાસ વ્યાપી ગયો હતો, પરંતુ બીજી તરફ પવિત્ર શ્રમણ પરંપરા પણ ચાલુ જ હતી. ઈતિહાસ આ શુદ્ધ પરંપરાને “વિહરુક તરીકે ઓળખાવે છે આ શુદ્ધ પરંપરાની દોરવણીથી ઘણા ચૈત્યવાસીઓએ ક્રિયોદ્ધાર કરી શુદ્ધ માર્ગ સ્વીકાર્યો છે. અમને લાગે છે કે, દિગમ્બર મુનિઓએ પણ વિ.સં. ૪૭૨માં વનવાસ છોડી નિસિહિયાજીમાં રહેવાનું શરૂ કર્યું હશે. તેમાં પણ વિકૃતિ થતાં ચૈત્યવાસની અસર થઈ છે અને વિ. સં. ૧૨૧૯ પછીથી મઠવાસ ચાલુ થયો છે. તેઓમાં આ મઠવાસીઓનું નામ ભટ્ટારક છે. દિગમ્બરોમાં શુદ્ધ પરંપરા ચાલુ રહી નહીં, તેમાં દિયોદ્ધાર કરનાર કોઈ નીકળ્યું નહીં. એટલે આજે તે સમાજમાં અવિચ્છિન્ન પ્રમાણપરંપરા રહી નથી. આ રીતે જૈન મુનિઓમાં વિ.સં. ૪૭૨ થી વનવાસ બંધ થયો છે, ચૈત્યવસતીમાં રહેવાનું ચાલુ થયું છે. અને સં. ૭૮૦ થી ચૈત્યવાસ પ્રત્યે છે. ચૈત્યવાસ વિ.સં. ૧૨૮૫ થી સદંતર બંધ છે અને જૈન મુનિઓ માત્ર ઉપાશ્રયમાં ઊતરે છે. આચાર્ય શ્રીવિક્રમસૂરિ - શ્રીદેવાનંદસૂરિની પાટે આ. શ્રીવિક્રમસૂરિ થયા છે. વીરવંશાવલી'માં ઉલ્લેખ છે કે તેમણે ધાંધાર દેશના ગાલા નગરમાં પરમાર ક્ષત્રિયોને ઉપદેશી જૈનધર્મી બનાવ્યા હતા. આ અરસામાં એટલે વિકમની ચોથી-પાંચમી સદીમાં આ. શિવશર્મસૂરિ, આ. ચંદ્રર્ષિ મહત્તર, સંઘદાસગણિ મહત્તર, ધર્મસેનગણિ મહત્તર, ધર્મદાસગણિ મહત્તર, જિનદાસગણિ મહત્તર, આ. વિમલચંદ્રસૂરિ, પંડિત ચંડ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy