SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી વીર સં. ૮૩૦ થી ૮૪૦ સુધીમાં ચોથી આગમવાચના કરી હતી અને સર્વાનુમતે તૈયાર થયેલ પાઠને પુસ્તકરૂપે લખ્યો હતો. આ કાર્યમાં આર્યજંબૂ અને આ. હિમવંતનો પૂરો સહયોગ હતો. આ વાચના મથુરામાં જે સ્થાને થઈ તે સ્થાન ચોરાસી મંદિર તરીક પ્રસિદ્ધ છે. તેમાં આજે ઉ. વિવેકહર્ષ ગણી પ્રતિષ્ઠિત આ. જંબૂસ્વામીની પાદુકા વિરાજમાન છે. આ. નાગાર્જુનસૂરિએ વલભીમાં દક્ષિણાપથના જૈન શ્રમણોને મેળવી વીર સં. ૮૩૦ થી ૮૪૦ સુધીમાં ચોથી આગમવાચના કરી હતી અને સર્વસમ્મત આગમપાઠને પુસ્તક સ્વરૂપે લખ્યો હતો. આ કાર્યમાં આ. ગોવિંદ અને આ. મલ્લવાદી વગેરેનો પૂરો સહકાર હતો. ૧૪૭ આ બન્ને વાચનાના આગમપાઠોને પરસ્પર મેળવી તેમાંથી એક ચોક્કસ પાઠ કરવાનું બાકી હતું પણ તેવો યોગ મળ્યો નહીં એટલે એ કાર્ય અધૂરું રહ્યું. તેઓએ પોતપોતાનો આગમપાઠ પોતપોતાના શિષ્યોને આપ્યો અને એ રીતે આ. કંદિલની વાચના અને આ. નાગાર્જુનની વાચના એમ બે પાઠો કાયમ રહ્યા. આ વાચના આચાર્ય સિંહસૂરિનો સ્વર્ગવાસ તથા બૌદ્ધાચાર્ય નંદના પરાજ્ય પછી અને વલભીભંગની પહેલાં થઈ છે. આથી અમે વીર સં. ૮૩૦ થી ૮૪૦ની સાલવારી આપી છે; તે બરાબર છે. વળી તે સમયે ઉત્તર ભારતમાં ગુપ્ત રાજા હતો અને વલભીમાં આદ્ય શિલાદિત્ય રાજા હતો, તે રાજાઓ વિદ્યાવ્યાસંગી અને ધર્મપ્રેમી હતા. એટલે તેઓના રાજ્યકાળમાં આવી વિદ્યાપ્રવૃત્તિઓ થાય એ બહુ જ સંભવિત વસ્તુ છે. આ. જિનદાસમહત્તર આ વાચનાને ‘માથુરીવાચના’ તરીકે ઓળખાવે છે. (નંદીચૂર્ણિ.) ક. સ. આ. હેમચંદ્રસૂરિ લખે છે કે- બિનવચનં ઘ दुष्षमकालवशादुच्छिन्नमिति मत्वा भगवद्भिर्नागार्जुन - स्कंदिलाचार्यप्रभृतिभिः પુસ્તવેષુ સ્વસ્તમ્ ।। (યોગશાસ્ત્ર પ્ર. ૩, શ્લોક ૧૨૦ ની ટીકા.) આ. મલયગિરિજી તથા મહોપાધ્યાય વિનયવિજયજી જણાવે છે કેઆ. સ્કંદિલે ‘માથુરીવાચના' ફરી અને આ. દેવર્નિંગણી ક્ષમાશ્રમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy