SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સ્થવિરાવલી હતો, તેણે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. તે વચમાં બૌદ્ધધર્મી બન્યો હતો, કિન્તુ પોતાના ભાણેજ આ. મલવાદીજીના પ્રભાવથી તે પુનઃ જૈન બન્યો. તે પરાક્રમી, બુદ્ધિમાન, વિદ્યારસિક, વિદ્વષક, શાસ્ત્રાર્થપ્રેમી, તુલના બુદ્ધિવાળો, સત્યનો ઉપાસક અને વિવેકી જૈન હતો. કર્નલ જેમ્સ ટોડ: - ઈસ્વીસનની છઠ્ઠી સદીમાં વલભીમાં જૈનધર્મનો પ્રચાર થયો હતો.” મથુરામાં અને વલભીમાં ચોથી આગમવાચના : વીરનિર્વાણની નવમી સદીનું પહેલું ચરણ તે ભારતવર્ષમાં અશાંતિનો કાળ છે. તે સમયે સૌરાષ્ટ્રમાં બૌદ્ધાચાર્યનંદે વિતંડાવાદ ચલાવ્યો હતો એટલે જનતા ક્ષોભમાં પડી હતી, ઉત્તર ભારતમાં હૂણ અને ગુણોનું ખૂનખાર યુદ્ધ ચાલ્યું હતું એટલે પ્રજાની હાડમારીનો પાર ન હતો, એક સાથે બાર વર્ષનો દુકાળ પડ્યો હતો એટલે સર્વત્ર અન્ન-પાણીના સાંસા હતા, ભૂખમરો અને રોગચાળો વધી પડ્યા હતા, આ ભયંકર કાળમાં પાદવિહારી નિર્ચન્થ જૈન મુનિઓની શી દશા થાય ? તે સહેજે સમજી શકાય તેમ છે. જૈન શ્રમણોનો વિહાર રોકાઈ ગયો, પઠન-પાઠન બંધ થઈ ગયું અને જિનાગમનો ઉચ્છેદ થવાની ઘડી આવી પહોંચી હતી. અંતે સૌરાષ્ટ્રમાં જૈનાચાર્ય મહ્મવાદી જીત્યા, ઉત્તર ભારતમાં યુદ્ધો અને બાર દુકાળી ઊતરી ગયાં એટલે સર્વ થાળે પડવા લાગ્યું. આ સમયે આ. સ્કંદિલસૂરિ તથા આ. નાગાર્જુનસૂરિએ મથુરામાં તથા વલભીમાં મોટું “મુનિ સંમેલન” મેળવી ચોથી આગમવાચના કરી, જિનાગમોને ગ્રંથ રૂપે લખ્યા. આ વાચના ઐતિહાસિક છે. કેમકે અત્યાર સુધી જિનાગમો માત્ર કંઠસ્થ જ રહેતાં હતાં, લખાતાં ન હતાં અને જે વધુ વખત આમ જ ચાલે તો જિનાગમોનો વિચ્છેદ થાય, તેવી પરિસ્થિતિ હતી. ઉક્ત આચાર્યોએ ભાવિ શ્રમણોની શક્તિનું માપ લઈ જિનાગમો ચિરકાળ ટકી રહે એવો ઉપાય યોજ્યો હતો, જેમાં તેઓને ઘણી સફળતા મળી હતા. એટલે આ વાચના બહુ જ મહત્વની લેખાય છે. આ. સ્કંદિલ અને આ. નાગાર્જુન એ વાચકવંશના પ્રસિદ્ધ વાચનાચાર્યો છે. આ. સ્કંદિલસૂરિએ મથુરામાં ઉત્તરાપથના જૈન શ્રમણોને એકઠા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy