SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૪૧ રુદ્રસિંહના પુત્ર રુદ્રસેને શક સં. ૧૨૬ના ભા.રા. ૫ ના રોજ સત્ર (સદાવ્રત) ઊભું કર્યું હતું. મળેલા શિલાલેખો ઉપરથી ક્ષત્રપો જૈન હોવાનું તારવી શકાય છે. સિધુ-સૌવરી (પંજાબ), સૌરાષ્ટ્ર કાંઠાનો પ્રદેશ, અંગ, બંગાલ અને કલિંગમાં જૈનધર્મનું પ્રાબલ્ય હતું. નવો અવનાર વેદધર્મ પણ જૈનધર્મથી રંગાઈ જતો હતો. ઘુમલી નગર : ઈરાનના શકો આ. કાલિકસૂરિ સાથે ભારત આવ્યા ત્યારે તેઓએ મીંયાણી બંદરેથી સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો અને બરડાના ડુંગરની ઉત્તર તળેટીમાં ઘૂમલી વસાવી પોતાના રાજ્યનો પાયો નાખ્યો. ઈરાની શાહીઓ આ. કાલકના ઉપાસકો હતા. આથી અહીં જૈનધર્મ અને વેદધર્મની પ્રધાનતા હતી. અહીં જૈન દેરાસરો ઘણાં હતાં. ઘુમલી પર આફત ઊતરી ત્યારે જૈનોએ બીજા નગરભંગ પ્રસંગે કરે છે તેમ અગમચેતી વાપરી અહીંની જિનપ્રતિમાઓને બીજા સુરક્ષિત સ્થાને હટાવી દીધી હતી. સમય જતાં ત્યાંની ભદ્રિક જનતાએ એ ખાલી દેરાસરોમાં શિવલિંગ વગેરે સ્થાપી દીધાં હતાં. આ મંદિરોમાં નવલખાનું મંદિર વગેરે મુખ્ય છે. જૈનોએ બરડાના ડુંગર ઉપર પણ ભ. પાર્શ્વનાથ અને ભ. નેમિનાથનાં મંદિરો બનાવ્યાં હતાં, તેમજ ગુફાઓ કોતરાવી હતી. આ. મલ્લવાદીસૂરિએ સંભવત: આ ગુફાઓમાં જ સરસ્વતીની આરાધના કરી હતી. આજે ઘૂમલી વિદ્યમાન નથી પણ તેનાં ખંડેરો દષ્ટિગોચર થાય છે. આ. પ્રદ્યોતનસૂરિની પાટે મહDાભાવિક માનદેવસૂરિ (પહેલા) થયા છે. તેમનો જન્મ મારવાડના નાડોલ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શોઠ ધનેશ્વર અને માતાનું નામ ધારણી હતું. એકવાર પ્રદ્યોતનસૂરિજી વિહાર કરતાં કરતાં નાડોલ પધાર્યા, માનદેવે સૂરિજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી, માતાપિતાની રજા લઈ, સાધુપણું સ્વીકાર્યું. તેઓ ગુરુચરણે બેસી ટૂંક સમયમાં જ શાસ્ત્રઅભ્યાસ કરી અગિયાર અંગ અને છેદસૂત્ર વગેરેમાં નિષ્ણાત થયા. ગુરજીએ યોગ્યતા જોઈ આચાર્યપદથી વિભૂષિત કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy