SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સ્થવિરાવલી રાજા ગર્દભિલ્લનો ઉચ્છેદે કરાવ્યો હતો અને ચાર વર્ષ પછી ગર્દભિલ્લ પછીના વારસદાર બલમિત્ર ઉર્ફ વિક્રમાદિત્યને ત્યાંનો રાજા બનાવ્યો હતો એમ ઉજ્જૈનમાં ચિરસ્મરણીય શુદ્ધ આર્ય રાજ્યની સ્થાપના કરાવી હતી. વસ્તુતઃ આ શકોને અહીં આ. કાલકસૂરિ લાવેલ હોવાથી શકો તેમને પોતાના ગુરુ માનતા હતા. એટલે કે શકો જૈન હતા. તેઓએ જૈનધર્મ પાળીને પોતાના જીવનને એવું ઉચ્ચ અહિંસક અને સમભાવી બનાવ્યું હતું કે તેઓ થોડાં વર્ષમાં હિન્દુઓ સાથે ભળી ગયા, રોટી-બેટીના વ્યવહારથી જોડાઈ ગયા અને સમય જતાં હિંદુ જ બની ગયા. પાશ્ચાત્ય વિદ્વાનો પણ મહાક્ષત્રપોને જૈનધર્મ માને છે. મળે છે તે પુરાવા ઉપરથી એમ લાગે છે કે કાલકાચાર્યે પોતાના પ્રભાવથી આ પરદેશીઓને હિન્દી અને આર્ય બનાવી દીધા હતા. તે એટલે સુધી કે શરૂઆતના ક્ષત્રપો તો સ્પષ્ટપણે જૈનધર્મના અનુયાયીઓ થયા હોય એમ લાગે છે. આ વાત નીચેના મુદ્દાઓથી સ્પષ્ટ છે. (૧) ઉષવદાતનો લેખ બતાવે છે કે એ જૈનધર્મ માનતો. (૨) દામઝદશ્રી કે રુદ્રસિંહ વખતનો એક ત્રુટક શિલાલેખ મળ્યું છે તેનાં અમુક વચનો (વનસાનસંપ્રાપ્તિનાં વગેરે) પરથી મુનિ શ્રીવિજયેન્દ્રસૂરિએ બતાવ્યું છે કે આ ક્ષત્રપોએ જૈનધર્મ અપનાવ્યો હતો. (૩) જૈન ગ્રંથોમાં આ શકોને જૈન જ ગણવામાં આવ્યા છે. દા.ત. કાલક કથામાં આ શકોને “જૈનધર્મ પ્રભાવકો' કહ્યા છે. આવી રીતે આ ક્ષત્રપોએ અહીં આવીને જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. તે કાલકાચાર્યની અસરને લીધે જ હતું એ દેખીતું છે અને કાલકાચાર્યે પાડેલા આ હિન્દી સંસ્કારો ચરનના વંશમાં ખૂબ ફાલ્યાફૂલ્યા લાગે છે. કેમકે એનો પૌત્ર રુદ્રદામા તો શુદ્ધ આર્ય કેળવણી પામ્યો હતો અને ખરેખરો આર્ય હિન્દી હતો. મૂળે વિદેશી એવા આ શકો હિન્દમાં આવીને હિન્દી બની ગયા. પોતાનાં નામોમાં પણ સંસ્કૃત શબ્દો (જ્ય, રુદ્ર) વાપરવા મંડયા, પોતાના લેખોમાં સંસ્કૃત ભાષા વાપરવા મંડ્યા અને પોતાની આખી સંસ્કૃતિને હિન્દી બનાવવા મંડયા. એ બધું કાલકાચાર્યે આ વિદેશીને પણ શુદ્ધ દેશી સંસ્કૃતિ આપવાની અખત્યાર કરેલી નીતિનો વિજય બતાવે છે. - રુદ્રદામાને બે પુત્રો દામઝદ અને મહાક્ષત્રપ ભદ્રમુખ રુદ્રસિંહ અને એક પુત્રી જૈન હતાં. આ ભાઈઓએ ગિરનાર પર ભગવાન નેમિનાથના કેવલજ્ઞાન તથા મોક્ષ પામ્યાના સ્થાને જિનાલયોને ઉપયોગી કામો કરાવેલ છે, જેનો લેખ જૂનાગઢમાં વિદ્યમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy