SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ પ્રસાદ કરાવી તેમાં સં. ૧૩૫માં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. (વિચારશ્રેણિ) સ્થવિરાવલી આ. જજ્જિગસૂરિએ સાચોરમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. આ. જજ્જિગસૂરિએ વીર સં. ૬૭૦, વિ.સં. ૨૬૦, શાકે ૧૨૫માં સાચોરમાં નાહડરાજે બનાવેલ દેરાસરમાં ભ. મહાવીરસ્વામીની પિત્તલમય પ્રતિમા અને બીજાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. વળી આચાર્યમહારાજે દુગ્ગાસૂએ તથા વયગૃપમાં સાધુઓ મોકલી ત્યાંના દેરાસરોમાં પણ તે જ મુહૂર્તમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ‘જગચિંતામણિ' ચૈત્યવંદનમાં ય૩ વીર સ–રીમંડળ પદથી સાચોરના મહાવીર ભગવાનનો જયઘોષ છે. મહાકવિ ધનપાલે પણ સાચોરના મહાવીરનો ઉત્સાહપ્રબંધ બનાવ્યો છે. આ સ્થાન આજ ભિન્નમાલની પાસે સાચોરતીર્થ તરીકે પ્રસિદ્ધ છે.* તીર્થકલ્પ, પટ્ટાવલી, જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૧૬, ૩૭) * સાંચી અને સાચોર આ બન્ને સ્થાનો પ્રાચીનકાળમાં સત્તર સત્યપુર તરીકે ઓળખાતાં હતાં. આચાર્ય શ્રીપ્રદ્યોતનસૂરિ - આ. વૃદ્ધદેવસૂરિની પાટે આ૦ પ્રદ્યોતનસૂરિ થયા. ‘વીર વંશાવલી'ના ઉલ્લેખ પ્રમાણે તેમણે અજમેરમાં ભ ઋષભદેવસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી અને સ્વર્ણગિરિ પર દોશી ધનપતિએ બંધાવેલ યક્ષવસહી દેરાસરમાં વીર સં. ૬૮૦, શાકે ૧૩૫માં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ વીર સં. ૬૯૮માં, વિ.સં. ૨૮૮માં સ્વર્ગે ગયા. જૈન રાજાઓ મહાક્ષત્રપો : આ અરસામાં ગુજરાતના ક્ષત્રપવંશમાં ઘણાં જૈન રાજાઓ થયા છે. આ. કાલકસૂરિજીએ પ્રથમ ઈરાની શકશાહીઓ મારફત ઉજ્જૈનના અત્યાચારી Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy