SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી તેમનો સાહિત્યવારસો દિગમ્બરોને મળ્યો હશે એમ લાગે છે અને દિગમ્બર વિદ્વાનોએ પણ પાછળથી તેને ખૂબ વિકસાવ્યો છે. ૧૩૮ તેમના સાહિત્યમાં તીર્થંકરની સાક્ષરી વાણી (સ્વયંભૂ સ્તોત્ર શ્લોક ૪, ૭૪, ૯૭, ૧૦૭), ભૂમિવિહાર (શ્લોક ૨૯, ૧૦૮, ૧૧૮) અને તપસ્યા (શ્લો. ૮૩) વગેરે વિધાનો શ્વેતામ્બર માન્યતાને જ પુષ્ટ કરે છે. છતાંય ખુશી થવા જેવું છે કે દિગમ્બર વિદ્વાનો પણ તે સાહિત્યને આવકારે છે. આચાર્ય શ્રીવૃદ્ધદેવસૂરિ ભગવાન પાર્શ્વનાથની શ્રમણપરંપરા ઉપકેશગચ્છ તરીકે પ્રસિદ્ધ છે. તેની એક શાખા કોરટાગચ્છ છે. આ કોરટાગચ્છમાં ઉપાધ્યાય દેવચંદ્રજી થયા આ. સમન્તભદ્રસૂરિ કાશીથી વિહાર કરતાં કરતાં કોરટા પધાર્યા. તેમણે ઉ૦ દેવચંદ્રજીને વૈરાગ્યનો ઉપદેશ આપી, વીર સં. ૬૫૩ લગભગમાં પોતાની પાટે આચાર્યપદ આપ્યું અને તેમનું નામ દેવસૂરિ રાખ્યું. તેમના ઉપદેશવી નાહડ રાજાના મંત્રીએ કોરટાજીમાં મોટું જિનાલય બનાવ્યું હતું, જેમાં તેમણે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ વીર સં. ૬૭૦માં થયેલ સાચોરની પ્રતિષ્ઠામાં પણ ઉપસ્થિત હતા. તેઓ વી.સં. ૬૭૩માં સ્વર્ગે ગયા. (તપાગચ્છપટ્ટાવલી, અંચલગચ્છપટ્ટાવલી) જૈન તીર્થો : કોરટા તીર્થ : ઉપકેશગચ્છના આ. રત્નપ્રભસૂરિએ વીર સં. ૭૦માં આ તીર્થની સ્થાપના કરી છે. અહીં નાહડ રાજાના મંત્રીએ મોટું જિનાલય બનાવી તેમાં વીર સં. ૫૯૫માં વૃદ્ધદેવસૂરિના હાથે પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. કોરટા તીર્થં મારવાડમાં શિવગંજ પાસે છે, ત્યાં આજે પણ ભવ્ય પાંચ જિનાલયો વિદ્યમાન છે. સ્વર્ણગિરિ : આ કિલ્લામાં નાહડ રાજાએ યક્ષવસતિ નામનો મોટો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy