SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૩૭ બગાવ છે. દિગંબર વિદ્વાનો પણ જો કે આ. નાગેન્દ્રસૂરિ વગેરેને શ્વેતાંબર તરીકે માને છે પરંતુ આ. ચંદ્રસૂરિને તો પૂજ્યભાવે જ સત્કારે છે. એકંદરે આજનો જૈનસંઘ આ આચાર્યનો બહુ જ ઋણી છે. આજે જે જે જૈન મુનિઓ છે તે દરેક ચંદ્રકળના જ છે અને તેથી દરેક મુનિ નવી દીક્ષા આપે ત્યારે તે દીક્ષિતને તમારા કોટિકગણ, વજાશાખા અને ચંદ્રકુળ એવો દિગબંધ સંભળાવે છે. * तदीयवंशाकरतः प्रसिद्धादभूददोषा यतिरतन्माला । ચંદ્રકુળમાં અનેક પવિત્ર મુનિઓ થયા છે. (શ્રવણબેલગોલ, શિલાલેખ નં. ૧૦૮) इन्द्र-चंद्र-नागेन्द्रवादी संशयमिथ्यादृष्टिः संशयवादी किलैवं मन्यते, सेयंवरो . I (રોયા , . ૧૨, શ્રુતસાજી ટીકા) इन्द्र-चंद्र-नागेन्द्रगच्छोत्पन्नानां तंदुलोदक-क्वाथोदकादिसमाचारी समाश्रयिणां દ્વૈતપદનામ્ | (માવામૃત, જી. રૂલ, કૃતના ટા ) આચાર્ય શ્રી સમન્તભદ્રસૂરિજી : તે યુગના આદર્શ ત્યાગી છે, શ્વેતામ્બર તથા દિગમ્બર બન્ને સંપ્રદાયમાં માન્ય, સમર્થ ગ્રંથકાર, અજોડ સ્તુતિકાર અને પ્રખરવાદી છે. તેમણે વિહાર કરતાં કરતાં કોરટાતીર્થમાં જઈ ઉપાધ્યાય દેવચંદ્રજીને દીક્ષા આપી, પોતાની પાટે સ્થાપી, શત્રુંજય તીર્થ ઉપર પધારી અનશન સ્વીકાર્યું હતું. આ. સમન્તભદ્રસૂરિએ શ્વેતામ્બર દિગમ્બરના ભેદોને તોડી બન્નેને એક કરવા ભરચક પ્રયત્ન કર્યો છે. તેઓ ઉત્કટ ત્યાગી હતા, અને વનમાં કે ગામ બહાર યક્ષ આદિનાં મંદિરોમાં વિશેષ રહેતા હતા, તેથી તેમનો શિષ્ય પરિવાર વનવાસીગચ્છ” તરીકે ખ્યાતિ પામેલ છે અને નિર્ગસ્થગચ્છનું પણ વીર સં. ૬૫૦ લગભગમાં વનવાસીગચ્છ એવું ચોથું નામ પડ્યું છે. વનમાં રહેવાથી દિગમ્બરાચાર્યો પણ આ આચાર્યને પૂજ્યભાવે માને છે, અને તેમના સાહિત્યને આમાગમ તરીકે સ્વીકારે છે. સંભવ છે કે વનમાં રહેવાને કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy