SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સ્થવિરાવલી સ્થાપના કરી હતી, તે મૂર્તિ હાલ નગરમાં છે. વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે, આ મૂર્તિ જગતદેવાલયમાં સ્થાપન કરી હતી.' આ સ્થાન શંકરાચાર્યના વખત પછી અજૈનોના હાથમાં ગયું છે અને તે જૈન તીર્થ મટી વૈષ્ણવ તીર્થ બન્યું છે. સદ્ગત તનસુખરામ મ. ત્રિપાઠી પણ જણાવે છે કે, વિ. સં. ૧૨૦૦ પછી દ્વારિકા વૈષ્ણવતીર્થ તરીકે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય આ મંદિરમાં ઉપલા ભાગમાં ભગવાન નેમિનાથની જાન વગેરેનાં કોરાણીભર્યા ચિત્રો છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક ૩૭) આચાર્ય શ્રીચંદ્રસૂરિ આ. વજસેનસૂરિના બીજા પટ્ટધર આ. ચંદ્રસૂરિ છે. તેમનો વીર સં. ૫૭૬માં જન્મ, સં. ૫૯રમાં દીક્ષા, સં. ૬૦૬માં સૂરિપદ, સં. ૬૨૦માં યુગપ્રધાનપદ અને સં. ૬૫૦માં લગભગમાં સ્વર્ગવાસ થયો છે. સોપારકના શેઠ જિનદત્તે પોતાની પત્ની ઈશ્વરી અને ૪ પુત્રો સાથે બારદુકાળી ઊતરતાં જ વીર સં. ૫૯૨ (વિ.સં. ૧૮૨)માં આ. વજસેનસૂરિ પાસે દીક્ષા લીધી. તેમના ચારે પુત્રો ૧ નાગેન્દ્ર, ૨ ચંદ્ર, ૩ નિવૃતિ અને ૪ વિદ્યાધર સમર્થ આચાર્યો થયા છે. વીર સં. ૬૦૬માં તેઓના નામથી જ ચાર કુળો નીકળ્યાં છે. આ ચારે આચાર્યોમાં બીજા આ. ચંદ્રસૂરિ છે. તેમની પુણ્ય પ્રકૃતિ સતેજ હતી. તેથી શ્રમણસંઘે ચાર કુલ બનાવ્યાં, ત્યારે તેમના ચંદ્રકુળમાં ઘણા ગણો અને શાખાઓ દાખલ થયાં હતાં. ચંદ્રકુળ વિશાળ બનવાથી ચંદ્રગચ્છ તરીકે ખ્યાતિ પામ્યું છે પ્રાચીન શ્રમણો નિગ્રન્થ અને કોટિકગચ્છના મનાતા હતા, આ. ચંદ્રસૂરિથી તે પરંપરાનું “ચંદ્રગચ્છ' એ ત્રીજું નામ જાહેર થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy