SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૩૫ દિગંબર ગ્રંથકારો સંશયી કે મિથ્યાત્વી તરીકે આ. ઈન્દ્ર, આ. ચંદ્ર, આ. નાગેન્દ્રનાં નામો સંભારે છે. ખરેખર, એ જ આચાર્યોના નામથી આ ઈન્દ્રગિરિ અને ચંદ્રગિરિ તીર્થો છે. તેમજ મંત્રી ચામુંડરાય પછી દિગંબરોએ તે તીર્થોને અપનાવ્યાં છે. ઓસમ પહાડ : જૂનાગઢથી ૭ કોશ દૂર આ પહાડ છે. અહીંની કેટલીએક પ્રાચીન ગુફાઓ નાશ પામી છે. આંબલીવાળું ભોયરું વગેરે ગુફાઓ વિદ્યમાન છે. ઉપર ચકેશ્વરીનું મંદિર છે. શિવની દેરીમાં એક નાનકડી જિનપ્રતિમા છે. ઉપર નવો કિલ્લો છે, જેના બાંધકામમાં દેરાસરના પથ્થરોનો વધુ ઉપયોગ હશે એમ સહેજે દેખાઈ આવે છે. ઉતારમાં વીશેક પડથારો છે. ત્યાં દરેક સ્થાને મંત્રી સર્જન અને ગૂર્જરેશ્વર કુમારપાલ વગેરેએ બંધાવેલ મંદિરો હતાં. અલ્લાઉદ્દીન ખીલજીના ગોઝારા હાથે તેનો નાશ થયો છે. કિલ્લા પાસેના ભીમકુંડમાં પ્રતિમાઓ સંતાડી રાખી હતી, પચાસેક વર્ષ પહેલાં તેમાંથી ઘણી જિનપ્રતિમાઓ મળી આવી હતી, જે હાલ ધોરાજી અને જૂનાગઢના દેરાસરોમાં બિરાજમાન છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક ૯, પૃ. ૩૦૧) આ પહાડ ગોંડલ રાજ્ય (સ્ટેટ)માં છે. વસઈઃ ઓખા બેટમાં નવી દ્વારિકા વસી છે. તેની પાસે ગુમકાળનું જિનમંદિર છે. વોટ્સન સાહેબ જણાવે છે કે, વિમલવસહી વગેરે જૈન સ્થાનો છે, તેમ આ સ્થાન પણ જૈનોનું છે. પાસે વસઈ ગામ છે. મંદિરની રચના જૈન દેરાસરોને મળતી છે, ગુમકાલીન શિલ્પ છે. આ મંદિર પહેલાં જૈનોનું હતું. (કાઠિયાવાડ ગેઝેટિયર) દ્વારિકા : એ અસલમાં જૈન ધામ છે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર જણાવે છે કે, “જગતદેવાલય ક્યાં વર્ષમાં કોણે બનાવ્યું ? તેનો કશો પણ આધાર ઈતિહાસ કે પુરાણોમાંથી મળી શકતો નથી. કેટલા એક એમ કહે છે કે, આ મંદિર વજનાભે કરાવ્યું નથી પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈની લોકોએ કરાવ્યું છે, અને તેમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy