SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સ્થવિરાવલી તે પહાડીનો ત્યાગ કરી સામેની બીજી પહાડી પર જઈ અનશન સ્વીકાર્યું છે અને બાલમુનિએ પહેલી પહાડી પર અનશન કર્યું છે. ત્યાર પછી તેમના પ્રશિષ્ય આ. ચંદ્રસૂરિ અહીં પધાર્યા હતા અને તેમના ઉપદેશથી અહીં પહાડની સળંગ શિલામાંથી આર્ય વજસ્વામીની વિશાલકાળ પ્રતિમા બની હતી. આ બન્ને પહાડીઓ આજે ઈન્દ્રગિરિ અને ચંદ્રગિરિ એવા નામથી પ્રસિદ્ધ છે. મહીસૂરની ભૂગોળથી જાણી શકાય છે કે મહીસૂરના હસન જિલ્લામાં શ્રવણબેલગોલ નામનું ગામ છે. ત્યાં હલબેલગોલ, કોડી બેલગોલ, શ્રવણબેલગોલ નામે વિખ્યાત તળાવો છે. બેલગોલનો અર્થ સફેદ તળાવ થાય છે, એટલે શ્રવણબેલગોલનો અર્થ જૈનોનું સફેદ સરોવર થાય છે. આ તળાવની ઉત્તરમાં ચંદ્રગિરિ નામની પહાડી છે અને દક્ષિણમાં વિંધ્યગિરિ યાને ઈન્દ્રગિરિ પહાડી છે, જેના ઉપર અનેક જિનાલયો અને જિનપ્રતિમાઓ છે. (એપિગ્રાફિકા કર્ણાટક, ભા.રની ભૂમિકા) સ્પષ્ટ વાત છે કે આ તીર્થ પુરાણું છે, મૂર્તિ પ્રાચીન છે પણ તે તીર્થ વિક્રમની ૧૧મી સદીમાં ગોમટેશ્વર તરીકે જાહેર થયું છે. આપણે જાણીએ છીએ આર્ય વજસ્વામી અને દિગંબર માન્યતા પ્રમાણે બીજા ભદ્રબાહુસ્વામી અહીં સ્વર્ગે ગયા છે. એટલે આ મૂર્તિ તેમની હોય એ તર્કસંગત વસ્તુ છે. મહર્ષિ બાહુબલિ અહીં પધાર્યા જ નથી, ગોમટેશ્વર એવું એમનું કોઈ બીજું નામ પણ નથી, છતાં આપણે આ મૂર્તિ બાહુબલિની છે એમ માની લઈએ એ તો આપણે આ તીર્થનો ઈતિહાસ ભૂલી ગયા છીએ, તેનું જ પરિણામ છે. ચામુંડરાય દિગંબર જૈન હતો. તેણે આ મૂર્તિને દિગંબરપણાનો સંસ્કાર આપ્યો હોય એ સર્વથા બનવાજોગ છે. ટૂંકમાં કહી શકાય કે, ઈન્દ્રના રથની પરિક્રમાથી પ્રસિદ્ધ થયેલો રથાવર્તગિરિ અને ઈન્દ્રના જ નામથી પ્રસિદ્ધ થયેલો ઈન્દ્રગિરિ એ બન્ને વિંધ્યગિરિની એક પહાડીનાં જ નામો છે અને આર્ય વજસ્વામી યાને દ્વિતીય ભદ્રબાહુનું સમાધિસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy