SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૩૩ એપિગ્રાફિકા ઈન્ડિકા પૃ. ૧૬, પૃ. ૨૩૯, જન્મભૂમિ તા. ૨૫-૫-૧૯૪૧ રવિવાર, જૈન સત્યપ્રકાશ ક્રમાંક ૭૦, પૃ. ૩૯૦. મહુડી : ગુજરાતમાં વીજાપુર પાસેના મડ્ડી ગામના જુના કોટ્યાર્કનાં મંદિર પાસેથી સં. ૧૯૯૫ લગભગમાં તીર્થકરોની પરિકરવાલી ૪ ધાતુ પ્રતિમાઓ નીકળી છે, જેમાંની એક કોટ્યાર્કના મંદિરમાં અને ૩ વડોદરાના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ ૪ જિનપ્રતિમાઓ ગુમકાલની છે.* ગોમટેશ્વર : ? રથાવર્તગિરિ : આર્ય વજસ્વામીએ વિ.સં. ૧૭૪માં પોતાના શિષ્યસંઘ સાથે બાર દુકાળીમાં દક્ષિણમાં જઈ એક પહાડી ઉપર અનશન કર્યું અને સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું છે. આ ભૂમિને ઈન્દ્ર રથ વડે ત્રણ પ્રદક્ષિણા આપી, તેથી તે પહાડનું નામ “રથાવર્તગિરિ પડેલ છે. આચારાંગ સૂત્ર સ્કંધ ૨, ચૂર્ણિ ૩ની નિયુક્તિમાં રથાવર્ત નગ(પર્વત)ને તીર્થ તરીકે દર્શાવ્યો છે અને આવશ્યક નિર્યુક્તિમાં રથાવર્ત પર આર્ય વજસ્વામીનું સ્વર્ગગમન દર્શાવ્યું છે. (જુઓ પૃ. ર૩૯) આ રથાવર્તગિરિનું અસલી નામ શું હતું અને તેનું અત્યારે નામ શું છે? તેનો કંઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. કિન્તુ અમને લાગે છે કે આજે ઈન્દ્રગિરિ તરીકે જે પહાડી ઓળખાય છે તે જ વાસ્તવમાં થાવર્તગિરિ છે અને તેના ઉપરની વિશાલકાય મૂર્તિ તે દ્વિતીય ભદ્રબાહુસ્વામી યાને વજસ્વામીની મૂર્તિ છે. આર્ય વજસ્વામીએ અનશન માટે પ્રથમ એક પહાડી પસંદ કરી હતી પરંતુ પોતાના એક બાલમુનિને છૂટા પાડવા માટે તે મુનિને ત્યાં જ રાખી * ડેક્કન કોલેજના સંશોધન વિભાગની પત્રિકા ઈ.સ. ૧૯૪૦માર્ચવો. ૧. નં.૧, “ભારતીય વિદ્યા” નૈમાસિક પત્રિકા વ. ૧., એ. ૨, જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક ૭૧, ૭૨. એક એવી પણ માન્યતા છે કે – વિક્રમની નવમી સદીમાં કોટિવર્ષના જૈનો અથવા કોટિગચ્છના ઉપાસકો હિજરતી તરીકે અહીં આવ્યા અને તેઓ જ આ પ્રતિમાઓને લાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy