SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી એક નાનીશી ચિનગારી ચાંપી દીધી એથી જૈનધર્મને એકદમ મોટો આંચકો લાગ્યો, પરિણામે જૈનોના બે ટુકડા પડયા જે આજસુધી સંધાયા નથી. આ આખીય પરિસ્થિતનો આદિ પુરુષ મુનિ શિવભૂતિ યાને ભૂતબલિજી છે. ૧૧૯ શિવભૂતિજી, તે રથવીરનગરનો સાહસિક, બળવાન અને રાજમાન્ય પુરુષ હતો, તેણે આ. કૃષ્ણઋષિ પાસે દીક્ષા લીધી. એક દિવસે ત્યાંના રાજાએ તેને રત્નકંબલ વહોરાવી. તેણે રત્નકંબલ તો ન વાપરી પણ મોહભાવથી બાંધી રાખી. ગુરુમહારાજે તેને મમતા છોડવા શિખામણ આપી પરંતુ તે વાત તેને ગળે ઊતરી નહિ, એટલે એક દિવસે ગુરુએ તેની ગેરહાજરીમાં તે રત્નકંબલના ટુકડાઓ કરી મુનિઓને વહેંચી દીધા અને શિવભૂતિજી આવતાં તેને પણ જણાવી દીધું કે, “મહાનુભાવ ! શરીર, વસ્ત્ર, મુહપત્તિ, રજોહરણ, પાત્રાં વગરે જીવરક્ષાનાં અને સંયમનિર્વાહનાં સાધનો છે, તેમાં મમતા હોવી ન જોઈએ; મમતા થવાથી તે પરિગ્રહ બની જાય છે. આ પરિગ્રહના દોષમાંથી બચવા માટે મુનિઓએ સંયમનિર્વાહનાં સાધનોને રાખવા છતાં તેમાં અલિપ્ત બની રહેવું જોઈએ, મુનિઓએ ઉપકરણમાં મૂર્છા કે આસક્તિ રાખવી ન જોઈએ. ભાગ્યશાળી ! તમે ઘર છોડયું, બાર છોડ્યું, ઋદ્ધિ છોડી, રાજસન્માન છોડયું અને સાધુ બન્યા છો. આવા સમજદાર થઈને એક મામૂલી ચીજમાં આસક્તિ રાખો, એ તમને શોભતું નથી. આવી મમતાને તમારે ફગાવી દેવી જોઇએ. મેં તમને પરિગ્રહના બંધનથી છૂટા રાખવા તમારી રત્નકંબલ ટુકડા કરી મુનિઓને વહેંચી દીધી છે. તમે મુનિભક્તિની અનુમોદના કરજો અને ફરીવાર મમતાનો પ્રસંગ ન આવે તેમ સાવચેત રહેજો.'' શિવભૂતિને આ ઉપદેશ રચ્યો નહીં, તેને પોતાની રત્નકંબલ જવાથી ગુસ્સો આવ્યો, તેણે મોહના આવેશમાં આવી જણાવ્યું કે, તો તો વસ્ત્રપાત્ર રાખવાં એ જ મહાન પાપ છે. મુનિએ નગ્ન જ રહેવું જોઈએ, અને જિનકલ્પી દશામાં જ રહેવું જોઈએ. ગુરુમહારાજે જણાવ્યું કે, મુનિજી ! જિનકલ્પી બનવા માટે તો નવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy