SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી પૂર્વથી અધિક જ્ઞાન જોઈએ, જે પૈકીનું અત્યારે આપણામાં કંઈ જ નથી. આજકાલના માનવી માટે તો એ માર્ગ માત્ર એક આદર્શરૂપ જ છે, કદાચ કોઈ મુનિ નગ્ન રહેવા માત્રથી પોતાને જિનકલ્પી તરીકે જાહેર કરે તો તે જિનકલ્પીનું અપમાન કરે છે. નગ્ન થવા માત્રથી મુનિ જિનકલ્પી બની જતો નથી. વળી, જિનકલ્પી વસ્ત્રવાળા અને પાત્રવાળા પણ હોય છે. સાચી વાત એ છે કે મુનિએ વસ્ત્ર, રજોહરણ, પાત્ર વગેરેમાં આસક્તિ રાખવી ન જોઈએ એટલે નગ્ન રહેવાની કંઈ જરૂર નથી. ૧૨૦ આચાર્યની આ વાત શિવભૂતિને ગળે ઊતરી નહીં. તેણે આ નાનકડી વાતને મોટું રૂપ આપ્યું અને વસ્ત્ર, પાત્ર છોડી સમુદાયથી અલગ પડી બોટિક નામે પોતાનો નવો મત ચલાવ્યો. તેને બે શિષ્યો થયા : ૧. કોડિન્ય અને ૨. કોટ્ટવીર. શરૂમાં આ મતમાં મતભેદ માત્ર નગ્ન રહેવા પૂરતો જ હતો, બીજો કોઈ દેખાતો મતભેદ ન હતો. આ ઘટના દિગંબરાચાર્ય દેવસેનના ઉલ્લેખ પ્રમાણે વીર સં. ૬૦૬ માં અને શ્વેતાંબરીય ઉલ્લેખ પ્રમાણે વીર સં. ૬૯માં બનેલ છે. ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં આ આઠમો નિહ્રવ છે. દિગંબર મતની ઉત્પત્તિ અને ઈતિહાસ આજીવક, ધૈરાશિક, અબદ્ધિક અને બોટિક મુનિઓએ સ્વતંત્ર એકમ રચી, વીર સં. ૬૦૯ થી દિગંબરમત ચલાવ્યો છે અને ત્યારથી જૈન સંઘ શ્વેતાંબર અને દિગંબર એવા બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જો કે આ વિભાગ ન પડે તે માટે તત્કાલીન આચાર્યોએ ભરચક પ્રયત્ન કર્યો છે, આ. શ્રી સમન્તભદ્રસૂરિજીએ તો નગ્નતાના પક્ષમાં વનવાસ સ્વીકાર્યો છે, બીજા પણ પ્રયત્ન થયા છે પરંતુ તેમાં કંઈ જ સફળતા મળી નથી અને એ બે વિભાગો પડયા, જે આજ સુધી વિદ્યમાન છે. દિગંબર મત તે ચાર વર્ગના મુનિઓના જૂથરૂપે છે. તેથી તેમાં ચારેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy