SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી વૃદ્ધવાદિસૂરિને વિદ્યાધરવંશના ઉલ્લેખ્યા છે. આ સમયે અહીં જૈનધર્મપ્રેમી મહાક્ષત્રપોનું રાજ્ય હતું. ત્યાર પછી વીર સં. ૫૭૦માં શત્રુંજય તીર્થનો ઉદ્ધાર થયો; જેમાં આર્ય વજ્રસ્વામી તથા આ. વજ્રસેનસૂરિજીએ મોટી જહેમત ઉઠાવી હતી. ૧૧૭ મંદસોરમાં ત્રીજી આગમવાચના : આ ભયંકર બાર દુકાલીમાં ઘણા મુનિઓએ જ્યાં ત્યાં અનશન કરી સ્વર્ગગમન કર્યું હતું, જેથી ઘણા ગણો, કુલો અને વાચકવંશોનો વિચ્છેદ થઈ ગયો હતો. મુનિવરોની સંખ્યા પણ બહુ નાની થઈ ગઈ હતી. સુકાળ થતાં જ શ્રીસંઘે આગમરક્ષાનો પ્રશ્ન પહેલાં હાથમાં લીધો. આ સમયે શ્રીસંઘમાં વાચનાચાર્ય નંદિલસૂરિ, યુગપ્રધાન આર્ય રક્ષિતસૂરિ અને ગણાચાર્ય આ. વજ્રસેનસૂરિ પ્રધાન પ્રભાવકો હતા. આર્ય રક્ષિતસૂરિ પૂર્વના જ્ઞાતા હતા, તેથી શરીરવિજ્ઞાન, મતિવિજ્ઞાન અને માનસવિજ્ઞાન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તો પડતો કાળ છે, બાર બાર વર્ષોનો દુકાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મોટો હ્રાસ થયો છે અને હવે કદાચ આવા એક-બે દુકાળો પડે તો શ્રુતજ્ઞાનનો સર્વથા નાશ થશે એ સહેજે સમજી શકાય તેવું છે. બીજું, સંહનનબળ પણ ઘટતું જાય છે. એમણે વીર સં. ૫૯૨ લગભગમાં દરેક આગમને ચાર અનુયોગમાં વહેંચી નાખ્યા. (સંપાદકીય:- જૈન પ્રતિમાજીની નગ્નતા અને અનમ્રતા અંગે ખૂલાસો ખૂબ જરૂરી હોવાથી જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ માંથી અગત્યનો પાઠ સાભાર ઉષ્કૃત. આચાર્ય વજ્રસેનસૂરિજી વી.સં. ૫૯૭માં સ્વર્ગવાસી થયા જે પછીની થોડી વાતો.) આઠમો નિહ્નવ શિવભૂતિ : વીર સં. ૬૦૯માં આઠમો નિહ્નવ શિવભૂતિ થયેલ છે. તે આ. કૃષ્ણઋષિનો શિષ્ય હતો. ભગવાન મહાવીરસ્વામી થયા તે પહેલાં જૈન મુનિઓ સફેદ અથવા વિવિધ રંગના પણ વસ્ત્રો પહેરતા હતા. ભ. મહાવીરસ્વામીએ તેમાં મર્યાદા બાંધી કે, ‘જૈન મુનિઓએ વિવિધરંગી વસ્ત્ર પહેરવાં નહીં, માત્ર સાદાં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy