SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સ્થવિરાવલી આવી, ઉપદેશ સાંભળી જૈન બન્યો. આ રીતે પુરીનો રાજા જૈનધમી રાજા હતો. (વીર સં. ૫૭૦ થી ૫૮૪) રથવીરનરેશ ઃ આ જ અરસામાં રથવીરપુરનો ગામધણી પણ આ. કૃષ્ણસૂરિ તથા મુનિ શિવભૂતિજી વગેરેને બહુ માનતો હતો. (આવશ્યક નિયુક્તિ) દશપુરનરેશ : દશપુરનો રાજા પણ આર્ય રક્ષિતજીના ઉપદેશથી જૈનધમાં બન્યો હતો. જૈન તીર્થો આ અરસામાં શ્રી શત્રુંજય તીર્થ તથા ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર થયા હતા અને ભગવાન ઋષભદેવ વગેરેના જિનબિંબ વગેરેની અંજનશલાકાપ્રતિષ્ઠા અને ધ્વજારોપણ વગેરે થયાં હતાં. આચાર્ય શ્રીવજસેનસૂરિ - આર્ય વજસ્વામીની પાટે આ. વજસેનસૂરિ આવ્યા છે. તેમનો વીર સં. ૪૯રમાં જન્મ, સં. ૫૦૧માં દીક્ષા, સં. ૧૮૪માં ગચ્છનાયકપદ, સં. ૬૧૭માં યુગપ્રધાનપદ અને સં. ૬૨૦માં ૧૨૯ વર્ષની ઉંમરે તેમનું સ્વર્ગગમન થયું છે. તેઓ ઉમરમાં અને દીક્ષામાં આર્ય વજસ્વામીથી મોટા હતાં, ૧૧૯ વર્ષની દીક્ષા પર્યાય હોવાથી દીર્ધ અનુભવી અને દરેક બાબતમાં સંપૂર્ણ જ્ઞાતા હતા, દીર્ઘજીવી હતા. તેમની અધ્યક્ષતામાં વીર સં. પ૬૦, વિ.સં. ૧૫૦માં ગિરનાર તીર્થનો ઉદ્ધાર થયો હતો. આ. પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ ઉદ્ધાર જાકુટિ* શ્રાવકે કરાવ્યો હતો. અને તેની પ્રશસ્તિમાં આ. પાદલિપ્તસૂરિ તથા આ. * જાકુટ એ સંસ્કૃત નામ છે, તેનું પ્રાકૃત નામ જાઉડિ અને જાવડ થાય. એટલે પ્રસિદ્ધ જાવડશાહે જ આ ઉદ્ધાર કરાવ્યો હોય તો તે બનવાજોગ છે. જાવડશાહ વી. સં. પ૭૦માં સ્વર્ગે ગયા છે. પ્રભાવકચરિત્ર'ની બીજી પ્રતિમાં જાઉડિ નામ આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy