SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૧૩ ૨૨. આર્ય નાગ ગૌતમગોત્રવાળા. ર૩. આર્ય જેહિલ વસિષ્ટગોત્રવાળા. ૨૪. આર્ય વિષ્ણુ માઢરગોત્રવાળા. - ૨૫. આર્ય કાલકસૂરિજી – ગૌતમ ગોત્રવાળા, આ ત્રીજા કાલિકાચાર્ય છે. તેમનો સત્તાસમય વીર સં. ૭૨૦ મળે છે. (રત્નસંચય ગા. ર૭૪) ર૬. આર્ય સંપલિત અને આર્ય ભદ્ર - ગૌતમગોત્રવાળા. આ બન્ને કાલિકાચાર્યજીના બાળબ્રહ્મચારી શિષ્યો છે અને પટ્ટઘર થયા છે. તે બંનેની પાટે આર્ય વૃદ્ધ આવ્યા છે. ર૭. આર્ય વૃદ્ધ ગૌતમગોત્રવાળા. ૨૮. આર્ય સંઘપાલિત - ગૌતમગોત્રવાળા, તેઓ સ્થિર સત્ત્વવાળા તથા ઉત્તમ જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત હતા. ૨૯. આર્ય હતિ - કાશ્યપગોત્રવાળા, તેઓ ક્ષમાના સાગર હતા, ધીર હતા. ચૈત્ર સુદિમાં સ્વર્ગે ગયા. ૩૦. આર્યધર્મ - સાવયગોત્રવાળા, તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી મહાવ્રતધારી હતા. જેમના વિહાર વખતે દેવો પણ છત્ર ધરતા હતા. તેમના ગોત્ર માટે સાવય અને સુવ્યય એવા બે પાઠો મળે છે. સાવય શબ્દ તો શ્રાવક ગોત્ર યાને ઉપકેશવંશનો સૂચક છે, એટલે અહીં સુવ્રય શબ્દ વધુ સાચો લાગે છે. ૩૧. આર્ય હસિત – કાશ્યપગોત્રવાળા. ૩૨. આર્ય ધર્મ – તેઓ મોક્ષમાર્ગના પરમ સાધક હતા. ૩૩. આર્ય સિંહ - કાશ્યપગોત્રવાળા. આ જ સમયે બ્રહ્મક્રીપિકા શાખાના આ. સિંહસૂરિ થયા છે જે પ્રસિદ્ધ વાચનાચાર્ય હતા. ૩૪. આર્ય ધર્મ - કાશ્યપગોત્રવાયા, તેમને અનેક શિષ્યો હતા. તેમના મુખ્ય પટ્ટઘર આ. કંદિલ થયા છે; સ્કંદિલાચાર્યો વીર સં. ૮૩૦થી ૮૪૦ના ગાળામાં મથુરામાં ચોથી આગમવાચના કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy