SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી તેમનો વીર સં. ૪૯૬માં જન્મ, સં. ૫૦૪માં દીક્ષા, સં. ૫૪૮માં યુગપ્રધાનપદ, સં. ૫૮૪માં સ્વર્ગગમન થયાં છે. ૧૧૨ આ અરસામાં બારવર્ષી દુકાળમાં ઘણા જૈનમુનિઓએ અનશન કર્યું હતું. આથી ઘણા ગણો, કુલો અને શાખાઓનો વિચ્છેદ થઈ ગયો હતો. સદ્ભાગ્યે વજ્રશાખા બચી હતી. તેના શ્રમણોએ ફરીવાર ગણો, ફુલો વધાર્યા છે. આજે જે જે જૈનમુનિઓ છે તે દરેક કોટિકગણ, વજ્રશાખા અને ચંદ્રકુળના છે. દ્વિતીય ભદ્રબાહુસ્વામી : દિગંબર ગ્રંથોમાં આ અરસામાં બીજા ભદ્રબાહુસ્વામી થયાનો ઉલ્લેખ મળે છે, જેના બીજાં નામો વજ્રયશા, મહાયશા, યશોબાહુ, જયબાહુ વગેરે મળે છે.* (શ્રવણબેલગોલ-ચંદ્રગિરિનો શિલાલેખ) શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણની પટ્ટાવલી ૧૩. આર્ય વજ્રસ્વામી - શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પટ્ટપરંપરા અહીંથી જુદી પડે છે. ગૌતમ ગોત્રવાળા આર્ય વજ્રસ્વામીને મુખ્ય ચાર શિષ્યો હતા. ૧. આર્ય વજ્રસેન, ૨. આર્ય પદ્મ, ૩. આર્ય રથ અને ૪. આર્ય તાપસ. ૧૪. આર્ય રથ - વસિષ્ઠ ગોત્રવાયા, તેમનું બીજું નામ આર્ય જયંત છે. તેમનાથી જયંતીશાખા નીકળી છે. ૧૫. આર્ય પુષ્પગિરિ કૌશિકગોત્રવાળા. ૧૬. આર્ય ફલ્ગુમિત્ર ગૌતમગોત્રવાળા. ૧૭. આર્ય ધનગિરિ વસિષ્ઠગોત્રવાળા. ૧૮. આર્ય શિવભૂતિ કુચ્છસગોત્રવાળા. સંભવતઃ કૌશિકગોત્રવાળા આર્ય દુજ્જયંત અને આર્ય કૃષ્ણ તેમના ગુરુભાઈ હતા. ૧૯. આર્ય ભદ્ર કાશ્યપગોત્રવાળા. ૨૦. આર્ય નક્ષત્ર કાશ્યપગોત્રવાળા. ૨૧. આર્ય રક્ષ કાશ્યપગોત્રવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy