SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી. ૧૧૧ પોલીકાર્પસને રોમ બોલાવ્યો હતો. આ તકરારમા વિસ્તોર બાપાએ એશિયામાઈનરની સભાઓનો બહિષ્કાર કર્યો હતો. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૧૧, ૧૨) ૧૪. જૈનો તીર્થકરોની મૂર્તિઓને માને છે પણ તેમાં તીર્થકરો આવી વસે છે એમ માનતા નથી, એટલે મૂર્તિઓને તીર્થકરોની સ્થાપના માને છે. ઈસાઈઓ પણ ઈસા મસીહના ચિત્રને માને છે. તેની ઓળખાણ માટે ઈસુ ખ્રિસ્તનું નામ કે રોટલીની ટોપલી સાથે માછલીની નિશાની મૂકે છે. મરિયમના ચિત્રને, યોસેફના ચિત્રને તથા ખુસના ચિત્રને માને છે. અર્થાત્ તેઓ ચિત્ર તથા પૂતળાને માને છે, પણ તેમાં પરમેશ્વર આવીને વસે છે એવું માનતા નથી. તેઓ ચિત્ર માને છે, પણ ચિત્રમાં કોઈ પરમેશ્વર તરીકે મૂર્તિને માનતા નથી. ઈસ્વીસનના સોળમાં સૈકા સુધી ઈસાઈઓમાં આ માન્યતા એકધારી હતી; પછી વિચારભેદ પડ્યો છે. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૮, ૧૯, ૨૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭) (સંપાદકીય – અહો સ્થાપનાનિક્ષેપની વ્યાપકતા !) ૧૫. જૈનોમાં વિ. સં. ૧૫૨૮માં લોંકાએ સામાયિક પ્રતિક્રમણ, દાન, મૂર્તિ, મૂર્તિપૂજા વગેરેની મનાઈ કરી નવો મત સ્થાપ્યો છે. તેમ ઈસાઈમતમાં ઈસ્વીસન ૧૫૧૭માં લુથરે ૯૫ બાબતોમાં તકરાર ઊભી કરી પોતાનો પ્રોટેસ્ટંટ મત ચલાવ્યો છે. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૯૪ થી ૧૦૫, ૧૬૫.) ઈસાઈ મતમાં જૈનધર્મની પ્રાચીન પ્રથાઓ થોડા રૂપાંતર સાથે સ્વીકારાયેલ છે એમ ઉપરના લખાણોથી સમજી શકાય છે. આથી માનવું પડે છે કે ઈસા મસીહે હિંદુસ્તાનમાં આવી જૈનધર્મનું વિશેષ જ્ઞાન મેળવ્યું હતું અને તેના આધારે પોતાના મતને ખીલવ્યો હતો. - આર્ય શ્રીવજસ્વામી - આ. સિંહગરિસૂરિની પાટે મહાન પ્રભાવક, યુપ્રધાન, અજોડ શાસક આર્ય વજસ્વામી થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy