SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ સ્થવિરાવલી નખાવ્યા હતા. આ રાજા ચુસ્ત કેથોલિક મતનો હતો અને તેની પછી ગાદીએ આવેલા છઠ્ઠા એડવર્ડ યાજકોને લગ્ન કરવાની રજા આપી હતી. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૫૭, ૧૧૦, ૧૧૧) ૧૨. જૈનો આઠમ, ચૌદશે ઉપવાસ કરે છે, તેમ ઈસાઈઓને પણ રવિવારે ઉપવાસ કરવાની આજ્ઞા છે. યહૂદી લોકો સબથને પાળતા હતા, પ્રેરિતોએ તે સબથને નાબૂદ કરવાને માટે રવિવાર મુકરર કર્યો છે. અસલના ઈસાઈઓ ઉપવાસમાં દિવસે ખાતા ન હતા પણ સૂર્ય આથમ્યા પછી રાત્રે કંઈ ખાતા હતા. આવા ઉપવાસો હાલ મુસલમાનો કરે છે. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૧૧) ૧૩. જૈનો જઘન્ય ચોમાસું સિત્તેર દિવસનું માને છે. જૈન મુનિઓ તે દિવસોમાં ખૂબ તપસ્યા કરતા હતા. ઈસાઈઓ પણ પાસ્ના પહેલાં સિત્તેર દિવસે ઉપવાસ કરવાનું માનતા હતા. ઈસાઈમતમાં ખાસ બપ્તિસ્મા આપવામાં આવે છે. બસ્મિાની તૈયારી કરનાર કાતેખુમની કહેવાય છે. બપ્તિસ્મા પાસ્માના આગલા દિવસે કે પેન્ડેકોસ્તના આગલા દિવસે મળે છે. બપ્તિસ્મા લેનાર પાઆ પછીના બીજા રવિવાર સુખી સફેદ વસ્ત્ર પહેરી રાખે છે. આથી પાસ્મા પછીનો રવિવાર ધોળા રવિવાર તરીકે જાહેર થયો છે. રેવેરંડ સી. એન્સીડલર એજ.જે.કેથોલિક પાદરી લખે છે કે, “કેટલીએક જગ્યાએ પાખાની આગળના ઉપવાસના દિવસો પાઆની પહેલાં સિત્તેર દિવસથી શરૂ થયા, તેને વાતે આજ સુધી જે રવિવાર સેતુ આગે સિમા એટલે સિત્તેરમો દિવસ કહેવાય છે, તે દિવસે યાજકો મિસમાં જાંબુડી આસ્માની રંગ એટલે પ્રાયશ્ચિત્તના રંગનું લૂગડું પહેરે છે.” પાખાનો તહેવાર પૂર્વમાં યહૂદીઓની સાથે નિજાન મહિનાના ચૌદમા દિવસે અને પશ્ચિમમાં વસંતની પૂનમની પાછળના રવિવારે પાળવામાં આવતો હતો, પરંતુ આ તફાવતને લીધે પૂર્વમાં તકરાર ઊઠી હતી અને અનીતુસ બાપાએ આ ફેરફારનો જવાબ દેવા માટે પવિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy