SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી આચાર્ય સિંહગિરિસૂરિજી આ. સિંહગિરિસૂરિ જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા, ‘ખુશાલ પટ્ટાવલી' માં ઉલ્લેખ છે કે તેમનું વીર સં. ૫૪૭માં સ્વર્ગગમન થયું. ૧૦૬ (સંપાદકીય:- પ્રભુશ્રી મહાવીરની પાટે આપેલા આચાર્યશ્રી (સિંહગિરિસૂરિજી મ.વીર સંવંત ૫૪૭માં સ્વર્ગવાસી થયા.... તેમના વખતમાં ઈસાઈ મતના આદિપ્રવર્તક ઈસામસીહ પણ જૈન ધર્મની અસર નીચે આવ્યા હતા એની વાત અહીં પ્રસંગોપાત મૂકવામાં આવી છે.) ઈસાઈ મત (ક્રિશ્ચિયનધર્મ) : (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧) આ. સિંહગિરિજીના સમયમાં ઈસાઈ મતનો આદિ પ્રવર્તક ઈસામસીહ ભારતવર્ષમાં આવ્યો હતો અને તેણે જૈન ધર્મનું અધ્યયન કરી તેની ખૂબીઓ પોતાના નવા મતમાં દાખલ કરી હતી. ‘ઈંજીલ’ માં લખ્યું છે કે, “તે મુદત દરમિયાન ઈસુનું જ્ઞાન વધવા લાગ્યું તથા તેનો આત્મા બલવંત થવા લાગ્યો.'' એટલે ઈસામસીહે ૧૩ થી ૩૦ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું અને આત્માનો વિકાસ સાધ્યો. રશિયાનો યાત્રિક મો. નિકોલસ નોટોવિશે સંપાદિત ‘અન્નોન લાઈફ ઓફ જીસીસ ક્રાઈસ્ટ' (જીસીસ ક્રાઈસ્ટનું અજ્ઞાત જીવન) માં લખ્યું છે કે ‘“ઈસામસીહ ૧૩ વર્ષની ઉંમરે વિવાહ ન કરતા વેપારીના કાલા જોડે ગૂપચૂપ સિંધમાં નાસી ગયો, ત્યાંથી તે કાશી ગયો. તેને વૈશ્યો અને શુદ્રોનો સહવાસ બહુ ગમતો હતો. ત્યાં તેણે ૬ વર્ષ સુધી ધર્મજ્ઞાન મેળવ્યું. પછી કપિલવસ્તુમાં જઈ બૌદ્ધમતનું જ્ઞાન મેળવ્યું. એમ ૧૨ વર્ષ હિંદમાં રહી તે ઈરાન ગયો અને ત્યાંથી ધર્મોપદેશ કરતો કરતો ૩૦ વર્ષની ઉંમરે જેરૂસલેમ જઈ પહોંચ્યો.'' આ સમયે જેરૂસલેમમાં એક સમષ્ટિવાદી ગુપ્તમંડળ હતું, જેની સ્થાપના ઈસુના જન્મ પહેલાં મેકેબીયાના સમયમાં થઈ હતી. અનેક દેશોના મુખ્ય શહેરોમાં શાખોઓ સ્થપાઈ ચૂકી હતી. આ મંડળના સભાસદો ચાર શ્રેણીમાં વિભક્ત હતા. પહેલી શ્રેણીમાં આજન્મ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેનાર બાળકને જ દાખલ કરવામાં આવતો હતો. આ નવો સભ્ય ઈસીન તરીક ઓળખાતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy