SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૦૫ ખાતર પાછલી ઘટનાઓમાં વીર સં. ૪૭૧થી શરૂ થતા વિક્રમ સંવતનો જ ઉપયોગ કર્યો છે. બલમિત્ર વિક્રમાદિત્ય થયો છે તે જ શકો પછી અવન્તિપતિ બન્યો. તેણે જ વીરનિર્વાણ સં. ૪૧૧ (અથવા ૪૭૧) થી વિક્રમ સંવત પ્રવર્તાવ્યો છે, એ નિર્વિવાદ વસ્તુ છે. સમ્રાટ શાલિવાહન (સાતવાહન) – પટણામાં શુંગવંશી રાજાઓ નબળા બન્યા, કુશાનો મથુરાને મજબૂત બનાવવા મંડી પડ્યા હતા. કલિંગમાં પણ ભીખુરાય પછીના કલિંગરાજો વધુ તેજદાર ન હતા. આંધ્રો કૂચકદમ કરતા આગળ વધતા હતા. એવા વાતાવરણમાં માળવામાં મોટો ઝંઝાવાત આવી ગયો. ઈરાનના શાહીઓ દલબલ સાથે ગર્દભિલ્લ ઉપર ત્રાટક્યા અને તેઓએ ઉજ્જૈન પોતાને હસ્તગત કર્યું. એક દશકો જતાં જ ત્યાં સમ્રાટ વિક્રમાદિત્યનો ઉદય થયો અને માળવાએ સ્વતંત્રતાનો વાવટો ફરકાવ્યો. આ તરફ આંધ્ર રાજાઓ પણ દક્ષિણમાં પોતાની સત્તાને મજબૂત બનાવી ઉત્તર તરફ આગળ વધવા લાગ્યા. આંધ્રપતિ શાલિવાહન પણ તે સમયે સમર્થ રાજા હતો, જેના પાછળના વંશજોએ માળવાની સરહદ સુધીનો પ્રદેશ જીતી માલવરાજ સાથે સંધિ કરી મૈત્રી સ્થાપી હતી. ભાદરવા સુદ ૪ની સંવત્સરી થવાનાં કારણે આ. કાલિકસૂરિ અને સમ્રાટ શાલિવાહન અમર થઈ ગયા છે. સમ્રાટ શાલિવાહન જૈન હતો. તેણે જ આચાર્ય મહારાજને વિનંતિ કરી પ્રતિષ્ઠાનપુરમાં ચોમાસુ રાખ્યા હતા. તે, તેની રાણીઓ અને ઉપાસકો અમાસે પૌષધ કરતા હતા. બીજ, ત્રીજ, તથા ચોથનો અઠ્ઠમ કરતા હતા અને સંવત્સરી પર્વની આરાધના કરતા હતા.” ઈત્યાદિ બીનાઓ ચૂર્ણિઓમાં સ્પષ્ટપણે લખી છે. આ ઘટના વિક્રમ સંવત ૧ પહેલાંની છે. આ. મેરતંગસૂરિ લખે છે કે શાલિવાહનને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું અને તે મહાદાનેશ્વરી રાજા હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy