SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સ્થવિરાવલી યદિ આ. સિદ્ધસેનજી પ્રથમ સ્કંદિલસૂરિના પ્રશિષ્ય હોય તો વિક્રમની પહેલી સદી અને બીજા સ્કંદિલસૂરિના પ્રશિષ્ય હોય તો વિક્રમની ચોથી સદીમાં તેમનો સત્તાસમય આવે. ભૂલવું ન જોઈએ કે આ બન્ને સદીઓમાં એકેક વિક્રમ રાજા પણ થયા છે. તે આ પ્રમાણે છે ૧. સંવત્સર પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય, વિ. સં. ૧. ૨. ગુપ્તસંવંત પ્રવર્તક રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, વિ. સં. ૪૪૦ લગભગ જૈન રાજાઓ - સમ્રાટ વિક્રમાદિત્ય ૦ વીરનિર્વાણ સંવતના શિલાલેખો અને શાસ્ત્રોબ્લેખો મળે છે. જેમ કે, ૧. વીરજન્મ સં. ૩૭નો શિલાલેખ-મુંડસ્થલ, ૩. વીરનિર્વાણ સંવત ૨૩નો શિલાલેખભદ્રેશ્વર, ૩. વીર નિ.સં. ૮૪નો પ્રતિમા-આસન લેખ (પં. ગૌ. હી. ઓઝાકૃત પ્રાચીન લિપિમાલા, પૃ. ૬૩), ૪. વીરનિર્વાણ સં. ૨૧૪ વગેરે; નિદ્ભવકાળ (આવશ્યકસૂત્ર), ૫. વીર વિ. સં. ૯૮૦ અથવા ૯૯૩માં આગમવાચના (કલ્પસૂત્ર), વીર સં. ૪૭૦માં વિક્રમસંવત્સરનો પ્રારંભ (વિચારશ્રેણિ) વગેરે વગેરે. વિશેષ માટે જુઓ, ‘જૈન સત્ય પ્રકાશ' ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકમાં અમારો (ત્રિપુટી મહારાજનો) “ભારતવર્ષના ભિન્ન સંવતો” નામનો લેખ. - વીર નિર્વાણ સંવત કાર્તિક સુદ ૧ થી પ્રવર્યો છે, એ જ રીતે સમ્રાટ વિક્રમાદિત્યે પણ પોતાનો સંવત વિ. સં. ૧ના કાર્તિક શુદિ ૧થી પ્રવર્તાવ્યો છે. કૃતસંવત અને માલવસંવત એ વિક્રમ સંવતનાં જ બીજાં સાપેક્ષ નામો છે. આ વિક્રમસંવત આજસુધી ભારતવર્ષમાં પ્રવર્તે છે. સંવત-વિચારણા વિક્રમ સંવત્ વીરનિવારણ પછી કેટલા વર્ષે શરૂ થયો ? તેને માટે વિદ્વાનોમાં બે મત છે. (૧) કેટલાએક જૈનાચાર્યો કહે છે કે, વીરનિર્વાણ સંવત ૪૧૧થી વિક્રમસંવત શરૂ થયો છે. તેના આધારપાઠો નીચે પ્રમાણે છે : (१) एवं च महावीरमुत्तिसमयाओ पंचावन्ने वरिससए । वुच्छिन्ने नंदवंसे, चंदगुत्तो राया जाओ त्ति ॥५२६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy