SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાવલી ૧૦૧ સૂરિજીના ઉપદેશથી નાગાર્જુને ગિરનારની નીચે કિલ્લા પાસે દ્વારકાના રાજમહેલો વગેરે બંધાવી તેમાં દશાર્પમંડપ, ઉગ્રસેનનો મહેલ, વિવાહવેદિકા, ભગવાન નેમિનાથનું પાછા વળવું વગેરે બતાવ્યું છે. આ. પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ મહેલો આજે પણ યાત્રિકોની નજરે પડે છે. શ્રીકાંતાનગરના ધનપતિ શ્રાવકે સમુદ્રમાંથી મળેલ ભ. પાર્શ્વનાથની પ્રતિમાને સમુદ્ર કિનારે સ્થાપી હતી.* નાગાર્જુને તે પ્રતિમાની સમક્ષ રસસિદ્ધિની સાધના કરી હતી. તે સિદ્ધ થતાં તે સ્થાને થાંભણા ગામ વસાવ્યું. પાછળથી આ. અભયદેવસૂરિએ આ પ્રતિમાને પ્રગટ કરી થાંભણા (ખંભાત)માં સ્થાપી હતી. * આ શેઠને સમુદ્રમાંથી ૩ ભવ્ય જિનપ્રતિમાઓ મળી હતી. તે પૈકીની એક ભ. પાર્શ્વનાથની ચારૂપતીર્થમાં, બીજી ભ. અરિષ્ટનેમિની ગુજરાત પાટણમાં, અને ત્રીજી ભ. પાર્શ્વનાથની ખંભાતમાં આજે વિદ્યમાન છે. એટલું તારવી શકાય છે કે, આ પાદલિત અને આ. વૃદ્ધવાદિજી વિક્રમની પહેલી સદીમાં વિદ્યાધરગચ્છમાં થયા છે. વળી, આ. વૃદ્ધવાદિજી, આ. પાદલિપ્તના વંશના છે એનો અર્થ એટલો જ થાય છે, જે વિદ્યાધરવંશના આ. પાદલિપ્તસૂરિ છે, તે જ વંશના આ. કંદિલસૂરિ અને તેમના શિષ્ય વૃદ્ધવાદિ વગેરે છે. આ. પ્રભાચંદ્રસૂરિ ઈતિહાસની કડી જોડે છે કેઆ. સિદ્ધસેન દિવાકર આ. સ્કંદિલના પ્રશિષ્ય છે. વિદ્યાધર વાચકવંશમાં બે કંદિલસૂરિ થયા છે, તે આ પ્રમાણે (૧) ૧૨. આ. સ્કંદિલસૂરિ : જેમનું બીજું નામ આ. પંડિલ પણ છે, તેમનાથી પાંડિલ્યગચ્છ, કાલિકાચાર્યગચ્છ, ભાવડારગચ્છ નીકળ્યો છે, જે પાછળથી ચંદ્રકુલના દિગબંધમાં દાખલ થઈ ગયા છે. વીર સં. ૪૧૪, વિ.સં. ૪માં સ્વર્ગવાસ પામ્યા. (૨) ૧૯. આ. સ્કંદિલસૂરિ: તેઓ આર્યજયંતી શાખાના અને સંભવતઃ ચંદ્રકુલના આચાર્ય છે. વીર સં. ૮૪૦, વિ.સં. ૪૩૦ લગભગમાં સ્વર્ગવાસ પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy