SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૦૩ અર્થાત્ વીર સં. ૧૫૫માં નંદવંશ નાશ પામ્યો અને ચંદ્રગુપ્ત રાજા થયો. . શ્રીમદ્દેશરકૂતિ -થાવત્રી) (२) अनन्तरं वर्धमानस्वामिनिर्वाणवासरात् । गतायां षष्टिवत्सर्यामेष नन्दोऽभवन्नृपः ॥६-२४३॥ एवं च श्रीमहावीरमुक्तेर्वर्षशते गते ।। पञ्चपञ्चशदधिके, चंद्रगुप्तोऽभवन् नृप : ॥८-३३९॥ વીરનિર્વાણ સં. ૬૦માં નંદ રાજા થયો અને વીર સં. ૧૫૫માં ચંદ્રગુપ્ત રાજા થયો. (કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિકૃત પરિશિષ્ટપર્વ) (૩) પાટલીપુત્રમાં વીર સં. ૩૧માં ઉદાયી, ૬૦માં નંદ, ૧૫૪માં ચંદ્રગુપ્ત, સં. ૧૮૪માં બિંદુસાર, ૨૦૯માં અશોક, ર૪૦માં મંત્રીઓ, ૨૪૩માં પૂર્ણરથ, ર૮૦માં વૃદ્ધરથ, ૩૦૪માં પુષ્યમિત્ર રાજા થયા છે. તેમ જ અવનિમાં વીર સં. ૨૪માં સંપ્રતિ, ૨૯૪માં બલમિત્ર-ભાનુમિત્ર, ૩૫૪માં નરવાહન, ૩૯૪માં ગર્દભિલ્લ અને વીરનિર્વાણ સંવત ૪૧૦માં વિક્રમાદિત્ય રાજા થયા છે. (હિમવંત સ્થવિરાવલી-રાજવંશ) આ ગણતરી પ્રમાણે વીર સં. ૧૫૫માં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક થયો છે અને ત્યાર પછી ૨૫૫ વર્ષ જતાં એટલે સં. ૪૧૧માં વિક્રમ સંવત્ શરૂ થયો છે. આ રાજાવલીના આધારે આ. શ્રીભદ્રબાહુસ્વામી અને મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત, શૂન્યવાદી નિહ્નવ અશ્વમિત્ર અને રાજા અશોક, આર્ય મહાગિરિજી અને સમ્રાટ સંપ્રતિ, તથા આ. કાલકસૂરિ (ચોથા કાલિકાચાર્ય) અને વલભીપતિ ધ્રુવસેનની સમકાલીનતા બરાબર સાધી શકાય છે. વળી, યુગપ્રધાનોની ઘટનાઓમાં ૪૧૦ વર્ષનું આંતરું જ વધુ મેળ આપે છે. એટલે કે વિક્રમની પહેલી સહસ્રાબ્દી સુધીની ઐતિહાસિક ઘટનાઓમાં આ ગણતરી વધારે ઉપકારક નીવડે તેમ છે. અહીં નંદવંશમાં ૧૫૫ને બદલે માત્ર ૫ વર્ષ બતાવ્યાં છે એ ૬૦ વર્ષનો ફરક પડવાથી વિક્રમ સંવતનો પ્રારંભ વીર સં. ૪૧૧માં આવે છે.* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy