SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ચંબલ નદીના કાંઠે ધુમ્નારની ગુફા પાસે ચંદ્રાવતીના ખંડેરો તરીકે વિદ્યમાન બીજાં તીર્થો : સંપ્રતિ રાજાએ શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો, મારવાડમાં ઘાંઘાણીમાં ભગવાન પદ્મસ્વામી (પદ્મપ્રભ)નું, પાવાગઢમાં ભ. સંભવનાથનું, હમીરગઢમાં ભ. પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં ચંદ્રપ્રભુનું, ઈડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સિદ્ધાચલ, સિવંતગિરિ, ગિરનાર, શંખેશ્વર, નાંદિયા, બ્રાહ્મણવાડા વગેરેના સંઘો કાઢી યાત્રા કરી અને ત્યાં રથયાત્રાઓ પણ કાઢી હતી. કમળનેરપર સંપ્રતિએ બંધાવેલ જિનમંદિર આજે પણ વિદ્યમાન છે, એમ ‘ટોડ રાજસ્થાન માં ઉલ્લેખ છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક 37) આ. સુસ્થિતસૂરિ અને આ. સુપ્રતિબદ્ધસૂરિ - આર્ય સુહસ્તિસૂરિની પાટે 12 પટ્ટઘરો થયા છે, તેમાં પાંચમાં આ. સુસ્થિતસૂરિ અને છઠ્ઠા આ. સુપ્રતિબદ્ધસૂરિ છે. આ બન્ને આચાર્યોએ કુમારગિરિ પર્વત ઉપર કે જ્યાં રાજા સુલોચનરાયે ગુફાઓ બંધાવી હતી, અને ભ. આદિનાથ પ્રભુજીની સુવર્ણ પ્રતિમાની શ્રી સુધર્માસ્વામીના હાથે પ્રતિષ્ઠા થઈ હતી, તે જ સ્થાનમાં કઠિન તપસ્યા કરીને ક્રોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો. આ આચાર્યના સમયમાં જૈન શ્રમણસંઘનું મોટું સંમેલન થયું હતું અને બીજી આગમવાચના થઈ હતી. આચાર્ય શ્રીઈન્દ્રજિન્નસૂરિ - સં. ૧૮૮૯ની ‘પં. ખુશાલ પટ્ટાવલી'માં ઉલ્લેખ છે કે તેઓ વિહાર કરી મોઢેરા પધાર્યા હતા. આ અરસામાં તેમના ગુરુભાઈ આ. પ્રિયગ્રંથસૂરિ અને આ. નાગસૂરિ એ પ્રભાવક આચાર્યો થયા છે. કુશનવંશ : કુશનવંશના રાજાઓ જૈનધર્મના પ્રેમી હતા. તેમના શાસનકાળમાં મથુરા વગેરે સ્થાનોમાં અનેક જિનમંદિરો બન્યાં છે, જિનબિંબો બન્યા છે. જે પૈકીની ઘણી જિનપ્રતિમાઓ, ભગવાન શ્રી મહાવીરસ્વામીના ગર્ભાપહારની ખોદેલી શિલા વગેરે-આજે લખનૌમાં કેશરબાગના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે સમયના શિલાલેખ-પ્રતિમાલેખનો નમૂનો નીચે આપું છું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy