SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ચંબલ નદીને કાંઠે અને બીજી રીતે કહીએ તો પ્રાચીન દશાર્ણ દેશમાં આ પ્રાચીન જૈન સ્થાપત્યનો વધારો થયો છે. ૯૬ ★ Remnants of a ruined Jain temple and of Samadhi may still be seen there as evidence of Culture and great artistic excellence of people of those days. (BHARAT D. 31-7-50, જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક : ૧૭૯) ગજપદતીર્થ, જીવિતસ્વામી, વિદિશા-ભીલ્સા, સાંચી, ઉદયગિરિ, ઘુમનારની ગુફાઓ, ચંદ્રાવતી, ઘાસોઈ અને ઢીંપુરીતીર્થ એ દશાર્ણ દેશના પ્રાચીન જૈન સ્થાનો છે. ઢીંપુરી તીર્થ : વિમલયશા રાજાને સુમંગલા રાણીથી પુષ્પફૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતા. વંકચૂલે સિંહગુહાપલ્લીનું રાજ્ય જમાવ્યું. કોઈ પ્રંસગે તેણે આ. સુસ્થિતસૂરિના શિષ્યો ધર્મઋષિ અને ધર્મદત્તને ચોમાસું રાખ્યા અને તેઓના ઉપદેશથી ચંબલને કાંઠે શરાવિકા પહાડીની પાસે પલ્લીમાં મોટું દેરાસર બંધાવી તેમાં ભગવાન મહાવીર પ્રભુની પ્રતિમા પધરાવી હતી. ત્યારથી આ સ્થાન તીર્થ બન્યું અને સંઘો યાત્રા કરવા આવવા લાગ્યા. વંકચૂલે ભગવાન પાર્શ્વનાથના બિંબને ભગવાન મહાવીરસ્વામીના ગભારામાં સ્થાપ્યું પણ તે પ્રતિમા મૂળનાયકથી નાની હતી, નાનું બાળક હોય તેવી લાગતી હતી. આથી ભીલો તેને ચેક્ષણ દેવ તરીકે ઓળખવા લાગ્યા; અને સિંહગુફાપલ્લી પણ ઢીંપુરી તરીકે પ્રસિદ્ધ થઈ. વંકચૂલે આ તીર્થની સ્થાપના કરી છે. આ. જિનપ્રભસૂરિ કહે છે કે, ઢીંપુરી તીર્થ આજે વિદ્યમાન છે અને ત્યાં એ બંને પ્રતિમાઓની યાત્રાનો મેળો ભરાય છે. તે સોનાનો રથ અને તે પ્રતિમાજી પણ નદીમાં ગુપ્ત છે. (વિવિધ તીર્થકલ્પ) મલધારી આ. રાજશેખરસૂરિ લખે છે કે, આજે પણ સકલ સંઘ તે જ ઢીંપુરીના ભગવાન મહાવીરસ્વામી તથા ચેક્ષણા પાર્શ્વનાથની યાત્રા, પૂજા અને ઉત્સવો કરે છે. (વિ.સં. ૧૪૦૫ ‘ચતુર્વિશતિપ્રબંધ') આ રીતે ઢીંપુરી એ પ્રાચીન તીર્થ છે, જે આજે સંભવતઃ માળવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy